SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ .. દર્શન અને ચિંતન અને શકરાચાર્યના જ તત્ત્વજ્ઞાન ઉપર અનાસકત કર્મયોગની સ્થાપના થઈ. આ રીતે બૌદ્ધ અને પરિત્રાજક બન્ને નિવૃત્તિ-પર પરાઓએ પ્રવૃત્તિને પુષ્કળ અવકાશ આપ્યો અને માનવીય સમગ્ર શક્તિને નવું નવું સર્જન કરવાની પૂરી તક આપી, જેનાં પરિણામા સાહિત્ય, કળા, રાજકારણ આદિ વિવિધ ક્ષેત્રે જાણીતાં છે. જૈન પરંપરાનું મૂળગત નિવ્રુત્તિલક્ષી દૃષ્ટિબિંદુ બદલાયું નહિ. કાળબળ અને ખીજા બળા જુદી અસર ઉપજાવવા મધ્યાં, પણ એમાં નિવૃત્તિલક્ષી ધમ એટલા બધા દૃઢમૂળ અને એકાંગી રહ્યો છે કે છેવટે તે પરિવર્તનકારી બળે řાવ્યાં નથી અને કાવ્યાં હોય તે બહુ જૂજ પ્રમાણમાં અને તે પણ કાયમી તા નહિ જ. આ વસ્તુસ્થિતિ આપણે ઇતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ. રાજકારણમાં તિલકને અનેાખું સ્થાન અપાવનાર એ તેમને અવિચળ કયાગ જ છે. ગાંધીજીનું, જીવનનાં સમગ્ર પાસાંઓને સ્પર્શતુ, અદ્ભુત વ્યક્તિત્વ એ તેમના અનાસક્ત કયાગને જ આભારી છે. શ્રી. વિનેાખા વેદાંત અને શાંક તત્ત્વજ્ઞાનના એકનિષ્ઠ અભ્યાસી હતાં જે લેાકવ્યાપી વિચાર અને કાર્યની ક્રાંતિ કરી રહ્યા છે તેની પૃષ્ઠભૂમિકા કે તેનું પ્રેરકબળ એ તેમના ગીતાપ્રતિપાદિત અનાસક્ત કમ યાગમાં રહેલું છે. શાંતરક્ષિત જેવા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય એંસી વર્ષની ઉંમરે તિબેટ જેવા અતિ ઠંડા અને દુર્ગમ પ્રદેશમાં જઈ એકસા દશ વર્ષની ઉંમર લગી સતત કામ કરતા રહ્યા, એ મહાયાનની ભાવનાના સબળ પુરાવા છે. જૈન પરંપરામાં એવા પુરુષો પાકવાનો સંભવ જ નથી એમ માનવાને કાઈ કારણ નથી. ઊલટું એમ કહી શકાય કે જુદે જુદે સમયે એમાં પણ વિશિષ્ટ પુરુષાથી વ્યક્તિઓ પેદા થઈ છે; છતાં એ પરંપરાનું મૂળ બંધારણ જ એવું છે કે કાઈ એક સમર્થ વ્યક્તિ કાંઈક ક્રાંતિકારી કામ વિચારે કે પ્રારંભે ત્યાં તે તત્કાળ કે ચેાડા વખત પછી તેનાં મૂળ જ ઊખડી જવાનાં. આને લીધે જૈન પર પરામાં જે નવા નવા ફાંટા કાળક્રમે પડતા ગયા તે બધા આત્યંતિક નિવૃત્તિ અને યિાકાંડના આધાર ઉપર જ પડથા છે. એક પણ એવા ફ્રાંટ નથી પડ્યો કે જેના પુરસ્કર્તાએ જૈન પરંપરામાં નિવૃત્તિધમ ને પ્રવૃત્તિધમતુ વ્યવસ્થિત રૂપ આપવાની હિમાયત કરી હાય. આને લીધે શક્તિશાળી માણસાની પ્રતિભાને પરંપરામાં સમગ્ર પ્રકારની વિધાયક પ્રવૃત્તિઓ વિકસાવવાની તક મળતી નથી અને તેથી તે પર પરા ગાંધી કે વિનેબાની કાર્ટિનાં માણસોને ભાગ્યે જ જન્માવી કે પેાધી શકે. માનવતા કે રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ પણ આ એક પ્રત્યવાય જ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy