________________
[૮૧
પ્રવૃત્તિલક્ષી કલ્યાણુમાર્ગ
આપણે જોઈએ છીએ કે સંતબાલે વિચાર અને વિવેકપૂર્વક પ્રવૃત્તિધર્મ સ્વીકાર્યો છે, પણ નિવૃત્તિને સાચા અર્થ નહિ સમજનાર જૈન સમાજ તેમને ભાગ્યે જ સાથ આપે છે. આચાર્ય તુલસીગણિ માનવધર્મ લેખે અણુવ્રતના વ્યાપક વિચાર રજૂ કરે છે, તેમાં પણ તેમને પ્રવૃત્તિની કોઈ પણ વિધાયક બાજુ રજૂ કરતાં ખચકાવું પડે છે. જે એકાંગી નિવૃત્તિ સંસ્કારનો સાંપ્રદાયિક વળગાડ આડે ન આવતે હેત તે, એ જ તુલસીગણિનાં વિધાન અને તેમની પ્રવૃત્તિ કઈ જુદા જ રૂપમાં હોત એમ કલ્પી શકાય. મુનિ સમતભદ્રજી, જે . હમણાં જ દિગંબર મુનિ બન્યા છે અને જેમણે આખી જિંદગી સમજણપૂર્વક કેળવણીનું ઉદાત્ત કાર્ય કર્યું છે, તેઓ જે પોતાના ઉદાત્ત ધ્યેયને વધારે વ્યાપક અને અસાંપ્રદાયિક બનાવવા બાહ્ય દિગંબરત્વમાં જ કૌપીન પૂરતો. ફેરફાર કરે અને અત્યારે છે તેનાં કરતાં પણ અંતરત્યાગ વધારે કેળવે, તેય તેમને સમાજ મુનિ તરીકે ફેંકી દેવાને અને તેમની શક્તિનું કે કાર્યનું મૂલ્યાંકન નહિ કરવાનો. આ ધારણું જે સાચી હોય તે એમ કહેવું જોઈએ કે જૈન પરંપરામાં પ્રચલિત નિવૃત્તિધર્મની એકાંગી કલ્પના હવે નભાવવા જેવી નથી અને નભે તો તેને આશરે સર્વાગીણ વિકાસની શક્યતા પણ નથી.
–પ્રબુદ્ધજીવન સપ્ટેમ્બર ”૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org