________________
પ્રવૃત્તિભ્રક્ષી કલ્યાણમા
કૃત્રિમ સપાટી ઉપર રમતું હોય છે અને પ્રવૃત્તિમાં મક્કમપણે સમજપૂર્વક ભાગ લઈ શકતું નથી; તે તે વિના રહી પણ શકતું નથી. એટલે તેની દશા ત્રિશંકુ જેવી બને છે. આવી ત્રિશંકુ દશા આખા ઇતિહાસકાળ દરમિયાન ઓછાવત્તા પ્રમાણમાં દેખાય છે. તેમાંથી ઉધ્ધરવાના પ્રયત્ના સાવ નથી થયા એમ તેા નથી; પણ તે સમાજમાનસના મૂળ ઘડતરમાં વધારે ફેર પાડી શકયા નથી.
બૌદ્ધ, જૈન અને સન્યાસ કે પરિવ્રાજક એ ત્રણ પરપરા મૂળે નિવૃત્તિલક્ષી છે. વૈયક્તિક મેાક્ષને આદર્શ એ બધામાં એકસરખા હોવાથી એમાં વૈયક્તિક સુખ અને વૈયક્તિક ચારિત્રનું તત્ત્વજ્ઞાન પ્રધાન પદ ભાગવે છે; જ્યારે પ્રવૃત્તિલક્ષી ધર્મમાં સામૂહિક સુખની દૃષ્ટિ મુખ્યપણે હોવાથી એમાં સામૂહિક ચારિત્રના ઘડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધર્મનું તત્ત્વજ્ઞાન એ રીતે કાંઈક જુદું પડતું હેાવાથી વ્યવહારમાં એનાં પરિણામે પણ જુદાં આવેલાં નેોંધાયાં છે, અને અત્યારે પણ એ પરિણામે જુદાં આવતાં અનુભવાય છે. બૌદ્ધ પરપરા મૂળે નિવૃત્તિલક્ષી હતી, છતાં તેમાં પ્રવૃત્તિધર્મનાં પોષક બીજો પ્રથમથી જ હતાં. તેને લીધે તે બહુ વિસ્તરી પણ શકી. અને એ વિસ્તારે જ તેને પ્રવૃત્તિધમનું કે મહાયાનનું રૂપ લેવાની ફરજ પાડી. જે ભાગ મહાયાનરૂપે અસ્તિત્વમાં આવ્યા તે જ પ્રવૃત્તિધના આંતરિક બળને લીધે દૂર દૂર અતિ વિશાળ પ્રદેશ ઉપર ફરી વળ્યા અને લોકગમ્ય પણ બન્ય1; જ્યારે બીજો નિવૃત્તિલક્ષી માર્ગ પ્રમાણમાં અહુ મર્યાદિત રહ્યો, જે હીનયાન તરીકે જાણીતા છે.
ge
નિવૃત્તિલક્ષી પરિવ્રાજક પરંપરામાં પણ ક્રાંતિ થઈ અને ગીતા જેવા અનુપમ ગ્રંથે એ નિવૃત્તિનું આખું સ્વરૂપ જ એવું બદલી નાખ્યું નિવૃત્તિ કાયમ રહે અને પ્રવૃત્તિને સંપૂર્ણ અવકાશ મળે. એ જ નિવૃત્તિ પ્રવૃત્તિના ગીતાપ્રતિપાદિત સુભગ સમન્વય અનાસક્ત કમ યાગ તરીકે જાણીતા છે. એ કયેાગે બહુ મોટા માણસા નિપજાવ્યા પણ છે, અને આજે પણ એની અસર ચામેર વધતી જ દેખાય છે.
ઔદ્દ ઉપદેશમાં જે પ્રવૃત્તિધર્મનાં પોષક બીજો હતાં તેને ક્રાંતિકારી વિચારકાએ એવાં વિકસાવ્યાં, તેમ જ એ રીતે અમલમાં મૂકવાં કે તેને લીધે નિવૃત્તિના હિમાયતી હીનમાર્ગી બહુ પાછા પડી ગયા. એ જ રીતે પરિત્રાજક ધર્મના સૂત્રને અવલખી જે અનાસક્ત કર્મચાગ વિકસ્યા તેને લીધે નષ્કમ્ટેસિદ્ધિના નિવૃત્તિલક્ષી શકરાચાર્યપ્રતિપાદિત માર્ગ પાછળ પડી ગયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org