SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક શિક્ષણ [ so આવે છે ત્યારે વિદ્યાથી જરા ખચકાય છે, પણ જાણુવાને સવાલ હાય છે ત્યાં તેનુ મગજ અનુકૂળ શિક્ષક આગળ જિજ્ઞાસાની આગથી સૂકા ઘાસની પેટે સળગી ઊઠે છે. જીવતા અધ્યાપક એ તકને લાભ લે છે અને વિદ્યાથીમાં ઉદાર તેમ જ વ્યાપક વિચારનાં ખીજો રોપે છે. ખરી રીતે તે વિદ્યાર્થી માં જે કરવાનું અને બનવાનું શકય છે, તેના ઉપર સંસ્થા ધાર્મિક શિક્ષણનું આયાજન કરી ભાર નથી આપતી, અને જે ધાર્મિક ગણાતા અશમાં વિદ્યાર્થીને કે ખુદ શિક્ષકને રસ નથી હોતા તેવા અંશ ઉપર પર`પરાના મેહને લીધે કે અમુક વર્ગના અનુસરણને લીધે ભાર આપવા જતાં સંસ્થા અને ગુમાવે છે. આમ થવાથી શકય એવા વિચારાંશની જાગૃતિ રૂÜાય છે અને અશકય એવા રૂઢ આચારેામાંની રસત્તિ ઉત્પન્ન થવાને બદલે તે હંમેશ માટે બહેર મારી જાય છે. તેથી મારી દૃષ્ટિએ દરેક સંસ્થામાં ઉપસ્થિત થતા ધાર્મિક શિક્ષણના પ્રશ્નના ઉકેલ નીચે પ્રમાણે આણી શકાય :— (૧) કાઈ પણ ક્રિયાકાંડી કે રૂઢ શિક્ષણ આપવાનું મરજિયાત હોય, ફરજિયાત નહિ. (૨) જીવનની સૌરભ જેવા સદ્દનનુ શિક્ષણ શબ્દ વાટે આપવામાં સતષ મનાવા ન જોઈએ અને એવું શિક્ષણ આપવાની સગવડ ન હોય, તે તે વિષયમાં ચૂપ રહેવામાં જ સતેષ માનવા જોઈ એ. (૩) ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ તથા સ્વરૂપની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાનના અમુક મુદ્દાઓનું વિદ્યાર્થીઓની યાગ્યતા પ્રમાણે સારામાં સારું ઉદાત્ત શિક્ષણ આપવાના પ્રબંધ થવા જોઈએ અને તે વખત તે પૂરતું ધર્મ – શિક્ષણ ગણાવું જોઈ એ. આવા ધ-શિક્ષણ પરત્વે કાઈ ના મતભેદ નથી, સંસ્થા દ્વારા અપાવું એ રાકય પણ છે અને જુદાજુદા સંપ્રદાયાની માન્યતાએને સાંકળવામાં એ ઉપયાગી છે, તેમ જ મિથ્યા વહેમાને નાશ કરવામાં પણ સૌથી પહેલું આવું ધમ–શિક્ષણ આવશ્યક છે. —અખંડ આનંદ, ૧૯૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy