________________
ધર્મદૃષ્ટિનુ ઊર્ધીકરણ
[ ૧૧ ]
ઊધ્વી કરણના અર્થ છે શુદ્ધીકરણ તેમ જ વિસ્તારીકરણ, ધર્માંદૃષ્ટિ જેમજેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમ જ તેને વિસ્તાર થાય. અર્થાત્ માત્ર વ્યક્તિગત ન રહેતાં તેનું જેમજેમ સામુદાયિક રૂપ નિર્માણ થાય તેમતેમ તેનું ઊીકરણ થાય છે એમ સમજવું જોઈએ. એને જ Sublimation કહેવામાં આવે છે.
જિવિષા યા જીવનત્તિ અને ધમષ્ટિ એ બંને પ્રાણીમાત્રમાં સહભ્ અને સહચારી છે. ધર્માંદૃષ્ટિ વિના જીવનત્તિ સતાષાતી નથી અને જીવનવૃત્ત હાય તે જ ધર્માંદૃષ્ટિનું અસ્તિત્વ સંભવે છે. આમ છતાં મનુષ્ય અને ધૃતર જીવજગત વચ્ચેની સ્થિતિ નાખી નાખી છે. પશુ-પક્ષી અને કીડી–ભ્રમર જેવી અનેક પ્રાણીતિમાં આપણે જોઈએ છીએ કે તે તે પ્રાણી માત્ર પોતાના દૈહિક જીવન અર્થે જ પ્રવૃત્તિ નથી કરતું, પણ તે પોતપોતાના નાના—મેટા જૂથ, દળ કે વર્ગ માટે કાંઈ ને કાંઈ કરેજ છે. આ એની એક રીતે ધમ વૃત્તિ થઈ. પણ આ ધર્મવૃત્તિના મૂળમાં જાતિગત પર પરાથી ચાલ્યેા આવતા એક રૂઢ સંસ્કાર હોય છે. એની સાથે એમાં સમજણુ કે વિવેકનું તત્ત્વ વિકસ્યું નથી હેતું, એની શકયતા પણ નથી હોતી; તેથી એ ધવૃત્તિને ધર્મદ્રષ્ટિની કાટિમાં સૂકી ન શકાય.
મનુષ્યપ્રાણી જ એવું છે જેમાં ધર્માંદૃષ્ટિનાં ખીજો સ્વયંભૂ રીતે પડેલાં છે. એવાં ખીજોમાં એની જ્ઞાન અને જિજ્ઞાસાવૃત્તિ, સંકલ્પશક્તિ અને સારા-નરસાને વિવેક કરવાની શક્તિ, તેમજ ધ્યેયને સિદ્ધ કરવાના પુરુષાર્થ-આ મુખ્ય છે. મનુષ્ય જેટલું ભૂતકાળનું સ્મરણ અન્ય કાઈ પ્રાણીમાં નથી. એના જેટલે ભૂતકાળને વારસા સાચવવાની અને આગલી પેઢીએને એ વારસા વધારા સાથે આપવાની કળા પણ કાઈમાં નથી. તે એક વાર કાંઈપણ કરવાના સંકલ્પ કરે તો તે તેને સાધે જ છે, અને પેાતાના નિર્ણયોને પણ ભૂલ જણાતાં બદલે અને સુધારે છે. એના પુરુષાર્થની તા કાઈ સીમા જ નથી. તે અનેક નવાંનવાં ક્ષેત્રાને ખાળે અને ખેડે છે. મનુષ્યજાતની આ શક્તિ તે જ તેની ધર્મ દિષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org