________________
દર્શન અને ચિંતન એવા ધર્મતત્વમાં મુખ્ય બે અંશે આવે છે. એક વર્તનનો અને બીજે વિચારને. જ્યાં લગી વતનના શિક્ષણનો સંબંધ છે ત્યાં લગી નિરપવાદ. એક જ વિધાન સંભવે છે કે જે કેઈને સવર્તનનું શિક્ષણ આપવું હોય તે. તે સદ્વર્તન જીવીને જ શીખવી શકાય; એ કદી વાણીથી શીખવી ન શકાય.. સદ્વર્તન વસ્તુ જ એવી છે કે તે વાણીમાં ઊતરતાં ફીકી પડી જાય છે અને જે તે કોઈના જીવનમાં અંદરથી ઊગેલી હોય તે તે બીજાને ઓછેવત્તે અંશે વળ વિના રહેતી જ નથી. આને અર્થ એ થયો કે માનવતા ઘડનાર ને પિપનાર જે જે જાતનું વર્તન સમાજમાં કે સંસ્થામાં દાખલ કરવું હોય તે તે જાતનું વર્તન ગાળનાર કોઈ પણ સાચી વ્યકિત જ ન હોય ત્યાં લગી તે સમાજ કે તે સંસ્થામાં સવર્તનના શિક્ષણને પ્રશ્ન હાથ ધરવે એ નરી બાલિશતા છે. માબાપ કે બીજા વડીલે બાળકને કે નાનેરાંઓને ઘડવા માગતા. હોય, તે તેમણે પોતાના જીવનમાં તેવું ઘડતર સચોટપણે દાખલ કરવું જોઈએ અને એમ તેઓ ન કરે તો પિતાની સંતતિના જીવનમાં સદ્વર્તન ઊતરે એ આશાને મક્કમપણે સેવવી પણ ન જોઈએ. સંસ્થા કોઈ ભાડૂતી કે નકલી શિક્ષકને રેકી વિદ્યાથીઓમાં સદ્વર્તનનું વાતાવરણ જમાવી જ ન શકે. એ વ્યવહારને વિષય છે અને વ્યવહાર સાચી કે ખોટી દેખાદેખીમાંથી ઉત્પન્ન થઈ પછી જ વિચારના ને સંસ્કારના ઊંડા પ્રદેશ સુધી મૂળ ઘાલે છે.
ધર્મશિક્ષણને બીજો અંશ વિચાર છે-જ્ઞાન છે. કોઈ પણ સંસ્થા પિતાના વિદ્યાર્થીઓમાં વિચાર અને જ્ઞાનના અંશે સચી અને પિષી શકે. દરેક સંસ્થાને વાસ્તે રાજમાર્ગ તરીકે—ધાર્મિક શિક્ષણના વિષય તરીકે એક જ વિષય બાકી રહે છે અને તે જ્ઞાન તેમ જ વિચારને.
આ વાસ્તે સંસ્થાએ જેટલે ઉદાત્ત પ્રબંધ કર્યો હોય તેટલી સફળતા મળે જ છે. વિદ્યાર્થીને જાણવાની ઓછીવત્તી ભૂખ હોય જ છે. તેની ભૂખની નાડી ટ્રક પારખવામાં આવે તો એ વધારે સતેજ પણ કરી શકાય છે. તેથી અનેક વિદ્યાર્થીઓમાં તત્વની જિજ્ઞાસા પેદા કરવાનું આયોજન કરવું એ સંસ્થાનું પ્રથમ કર્તવ્ય છે. આ આયોજનમાં સમૃદ્ધ પુસ્તકાલય અને વિવિધ વિષય ઉપર વિચારક વિદ્વાનોનાં વ્યાખ્યાનો આપવાને પ્રબન્ધ તે આવે જ છે, પણ આખા આયોજનમાં કેન્દ્રસ્થાને જ્ઞાન અને વિચારમૂર્તિ શિક્ષક તથા તેની સર્વગ્રાહિણી, પ્રતિક્ષણે નવીનતા અનુભવતી પ્રતિભાસંપન્ન દષ્ટિ છે. જે સંસ્થા આવો શિક્ષક મેળવવા ભાગ્યશાળી થાય, તે સંસ્થામાં વિચાર પૂરતું ધર્મ-શિક્ષણ તે અનિવાર્ય રીતે પ્રસરવાનું અને વધવાનું જ. કરવાપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org