________________
[ ૬૯
ધાર્મિક શિક્ષણ પ્રમાણમાં વધારે વિપુલતાથી એકમેકથી છૂટી પડી ગઈ છે. ઈસ્લામ ધર્મના રૂઢ શિક્ષણે જે એક અમુક વર્ગને અમુક અંશમાં સાંધ્યો હોય, તે તેથી મોટા વર્ગને અનેક અંશેમાં પહેલા વર્ગનો વિરોધી મનાવી છેવટે તે માનવતાને ખંડિત જ કરી છે. ખ્રિસ્તી ધર્મની રૂઢ શિક્ષાએ પણ માનવતાને ખંડિત જ કરી છે. અમુક ધર્મ પિતાના રૂઢ શિક્ષણને બળે અમુક પ્રમાણમાં માનવવર્ગને અંદરોઅંદર સાંકળવાનું પુણ્ય કરતો હોય, તે તેથી મોટા વર્ગને છેક વિરોધી ગણાવવાનું મહાપાતક પણ કરે છે. આ તે રૂઢશિક્ષણજન્ય માનવતાના ખંડિતપણાની વાત થઈ
પણ અમુક સંપ્રદાયનું રૂઢ શિક્ષણ તે સંપ્રદાય પૂરતું પણ સરળ, પ્રામાણિક અને પરાથી જીવન સાધતું હોય, તોય ધાર્મિક શિક્ષણને વિરોધ કરનારને વિરોધ કરવાનું પૂરતું કારણ ન મળે, પણ ઇતિહાસ બીજી જ કથા કહે છે. કોઈ એક સંપ્રદાયના મુખિયાજી મનાતા ધર્મગુરુઓને લઈ વિચાર કરીએ, કે આગેવાન ગણાતા ગૃહસ્થને લઈ વિચાર કરીએ, તે જણાશે કે દરેક ધર્મગુરુ આડંબરી જીવનમાં રસ લે છે અને ભોળા માણસેમાં એ આડંબરને ધર્મને નામે પિષે છે. જે નાણાં, જે શક્તિ અને જે સમય દ્વારા તે સંપ્રદાયના અનુયાયીઓનું આરોગ્ય સાધી શકાય, તેમને કેળવણી આપી શકાય, તેમને ધંધે શીખવી સ્વાવલંબી જીવન જીવતાં બનાવી શકાય, તે જ નાણાં, શક્તિ અને વખતનો ઉપયોગ મોટેભાગે દરેક ધર્મગુરુ પિતાની આડંબર– સજિત જીવન ગાડી ધકેલવામાં કરે છે. તે શરીરશ્રમ છોડે છે, પણ શરીર– શ્રમનાં ફળોનો ભોગ નથી છેડતા. પિતે સેવા દેવી છેડે છે, પણ સેવા લેવી છોડતા નથી. બને તેટલી વધારેમાં વધારે જવાબદારીઓ ફેંકી દેવામાં ધર્મ માને-મનાવે છે, પણ પિતા પ્રત્યે બીજા જવાબદારી ન ચૂકે એની પૂરી કાળજી રાખે છે–જેવી રીતે રાજાઓ. એ જ રીતે તે સંપ્રદાયના રૂઢ શિક્ષણરસિક આગેવાન ગૃહસ્થ પિતાના જીવનમાં સદાચાર વિનાના હોય છે અને ગમે તેટલાના ભોગે પણ ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે પૂંછ એકત્ર કરવાને મેહ સેવતા હોય છે. અનુકૂળના હોય ત્યાં લગી ધંધામાં પ્રામાણિકપણું અને કાંઈક જોખમ આવતાં દેવાળું કાઢવાની રીત–આ વસ્તુસ્થિતિ હોય ત્યાં લગી ગમે તેટલી લાગવગ વાપરવામાં આવે, છતાં દઢ ધર્મશિક્ષણ વિષે સ્વતંત્ર અને નિર્ભય વિચારકને આંતરિક–બાહ્ય વિધ રહેવાને જ. જે વસ્તુસ્થિતિ આવી છે અને ચાલવાની છે તે વધારે સુંદર અને સલામત માર્ગ એ છે કે બન્ને પક્ષ સંમત હોય એવા જ ધર્મતત્વના શિક્ષણને પ્રબંધ જાગરૂકપણે થ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org