SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] દર્શન અને ચિંતન. આવા જીવનનું પોષક ધાર્મિક શિક્ષણ કે તત્ત્વ એ વર્ગને સામાન્ય નથી હતું. આ સાર એ નીકળે કે સમૃદ્ધ અને સંસ્કારી જીવન માટે જે આવશ્યક હેય તેના જ શિક્ષણને તે વર્ગ સ્વીકારે છે. જે શિક્ષણ દ્વારા જીવન સમૃદ્ધ થવાનો કે જીવનમાં ઉદાત્ત સંસ્કાર પોષાવાનો સંભવ ભાગ્યે જ હોય. છે, તેવા શિક્ષણને વિરોધ એ જ તેમનો વિરોધ છે. આ રીતે ઊંડા ઊતરીને જોઈએ તે ધાર્મિક શિક્ષણને વિષેધ કરનાર વર્ગ ખરી રીતે ધાર્મિક શિક્ષણની આવશ્યકતા જ સ્વીકારે છે. બીજી બાજુ, એ શિક્ષણનો અત્યાગ્રહ સેવનાર શબ્દપાઠ અને ક્રિયાકાંડે પર ગમે તેટલે આગ્રહ સેવે, છતાં તે પણ જીવનમાં ઉચ્ચ સંસ્કારસમૃદ્ધિ પિલાતી હોય તે તે જોવા ઉત્સુક તે છે જ. આ રીતે સામસામે છેડે સ્થિત એ બંને વર્ગો માનવીનું જીવન ઉચ્ચ અને સંસ્કારી બને એ બાબતમાં એકમત જ છે. એક પક્ષ અમુક પ્રકારને વિરોધ કરીને તે બીજો પક્ષ તે પ્રકારનું સમર્થન કરીને છેવટે તે બંને પક્ષો નકાર અને હકારમાંથી એક જ સામાન્ય તત્ત્વ ઉપર આવી ઊભા રહે છે. જે છેક સામસામેના બંને પક્ષે એક બાબતમાં એકમત થતા હોય, તે તે ઉભયસંમત તત્વને લક્ષીને જ શિક્ષણનો પ્રશ્ન વિચારો જોઈએ અને વિવાદાસ્પદ તત્ત્વ વિષે આ કે તે જાતનું ઐકાંતિક વિધાન કે તે વાસ્તની ગોઠવણ ન કરતાં તે બાબત શિક્ષણ લેનારની રુચિ અને વિચારણા ઉપર છોડી દેવી જોઈએ, એમ જ ફલિત થાય છે. જેઓ ધાર્મિક પાઠ અને ક્રિયાકાંડના પક્ષપાતી હોય છે, તેમણે પોતાના જીવનથી જે એમ સાબિત કર્યું હોત કે પ્રવાસેવી ધાર્મિક પિતાના જીવનવ્યવહારમાં બીજા કરતાં વધારે સાચા હોય છે, બોલ્યા પ્રમાણે વર્તનાર હોય છે, તેમ જ સાદું જીવન જીવનાર હોઈ પિતાની ચાલુ ધર્મપ્રથા દ્વારા માનવતાને વધારે સાંકળે છે, તે કોઈને પણ તેમના રૂઢ શિક્ષણ વિષે વાંધો લેવાને કારણ જ ન હોત. પણ ઈતિહાસ એલી ઊલટું કહે છે. જે જે જાતિએ કે. કેમે રૂઢ ધર્મ-શિક્ષણ વધારે લીધું હોય છે, તે જાતિ કે કેમ બીજી કેમો કરતાં વધારે ભેદ પિષતી આવી છે. ક્રિયાકાંડી-શિક્ષણમાં સૌથી વધારે અભિમાન લેનાર બ્રાહ્મણ કે હિંદુ જાતિ બીજા સમાજે કરતાં વધારે વહેંચાઈ ગયેલ છે અને વધારે દાંભિક તથા વધારે બીકણું જીવન ગાળે છે. જેમ જેમ ધર્મનું શિક્ષણ વિવિધ અને વધારે, તેમ તેમ જીવનની સમૃદ્ધિ પણ વિવિધ અને વધારે હોવી જોઈએ. તેને બદલે ઈતિહાસ કહે છે કે ધર્મપરાયણ મનાતી કોમ ધર્મથી સંધાવાને બદલે ધર્મની વિપુલતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy