________________
વાષપદીય यदेतन्मण्डलं भास्वद् धाम चित्रस्य राधसः ।
तद्भावमभिसंभूय विद्यायां प्रविलीयते ॥१२८॥ સર્વથી વિલક્ષણ, શબ્દબ્રહારૂપ જ્યોતિનું દેદીપ્યમાન મંડલરૂપ જે સ્થાન છે (તેને પ્રાપ્ત કરીને વૈયાકરણ) ભાવરૂપ શબ્દબ્રહ્મ સાથે એકરૂપ બનીને (જ્ઞાનરૂપ) વિઘામાં લીન બને છે. (૧૨૮)
વતિ પ્રમાણે નીચે પ્રમાણે અર્થ છે : ચણgwાનવતર રાત્રહ્મ સર્વશીનાં સત્ર समावेशामण्डलं परिशुद्धशब्दरूपतया प्रकाशस्त्ररूपत्वात्स्थानम् । राधसः योऽसौ मुक्तात्मनां परमानन्दः तं राध:शब्देनाह । तच्छब्दभावं प्राप्य विद्यायां प्रविलीयते ।।
વખરી, મધ્યમાં અને પશ્યન્તી એમ ત્રયી વાકરૂપે રહેલું અને તેમના અનંત પ્રભેદોવાઈ શબ્દતત્ત્વ સૂર્યમંડલરૂ૫ આશ્રયમાં રહેલું છે. પોતાના શરીરની નાડીઓમાં રહેલ સૂર્યરમિઓની મદદથી, વૈયાકરણ મૃત્યુ પછી ત્યાં પહોંચીને શબ્દત સાથે એકરૂપ બને છે. આ તેની મુક્તિ છે.
इति कर्तव्यता लोके सर्वा शब्दव्यपाश्रया ।
यां पूर्वाहितसंस्कारो बालोऽपि प्रतिपद्यते ॥१२९॥ જગતમાં કરવાનાં (બધાં) કાર્યોના બધા પ્રકારે(નું જ્ઞાન) શબ્દ ઉપર આધાર રાખે છે. પૂર્વ (જન્મ)માં સ્થાપિત થયેલ સંસ્કારવાળું બાળક પણ તેને સમજે છે.
(૧૨૯) आद्यः करणविन्यासः प्राणस्योर्ध्व समीरणम् ।
स्थानानामभिघातश्च न विना शब्दभावनाम् ॥१३०॥ કરણેનું પહેલું હલનચલન, વાયુની ઊર્વ ગતિ અને ઉચ્ચારણસ્થાનો સાથે સંગ (પૂર્વજન્મમાં દઢ બનેલ) શબ્દભાવના વિના શક્ય નથી. (૧૩૦) કરણવિન્યાસ એટલે જિ દ્વાઝ, જિદૂવામણ અને જિદૂવામૂલ વગેરે કારણોનું હલનચલન.
न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमादृते ।
अनुविद्धमिव ज्ञानं सर्व शब्देन भासते ॥१३१॥ જગતમાં એવું કઈ જ્ઞાન નથી જે શબ્દની સહાય વિનાનું હોય; બધું જ્ઞાન શબ્દ વડે અનુગ્રથિત (વ્યાપ્ત) ભાસે છે. (૧૧)
वाग्रूपता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती ।
न प्रकाशः प्रकाशेत सा हि प्रत्यवमर्शिनी ॥१३२॥ જ્ઞાન સાથે હંમેશની (પ્રાપ્ત થનારી) વારૂપતા જે ઉચ્છેદ પામે તો જ્ઞાનરૂપ પ્રકાશ પ્રકાશે નહીં. તે (નિત્ય એક7) જ જ્ઞાનનું પ્રકાશક છે. (૧૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org