________________
મથમ કાંડ
જેમ પ્રકાશકત્વ એ અગ્નિનું સ્વરૂપ છે અથવા ચૈતન્ય એ અન્તર્યામીનું સ્વરૂપ છે તેમ જ્ઞાન સૂમ વાગરૂપતા વડે સંકળાયેલું છે. બાહ્ય અર્થને જણાવનાર જે જ્ઞાન છે તેની સાથે સૂક્ષ્મ વાગ્ધર્મ સંકળાયેલો છે. જ્ઞાનની પહેલી અવસ્થામાં મનમાં અપષ્ટ. ખ્યાલ આવે છે કે આવું કથન, આવો શ્લોક મેં પહેલાં ક્યાંક સાંભળ્યો છે. શબ્દ સાથે આ પ્રથમ અવસ્થા સંકળાયેલી ન હોય તે જ્ઞાનપ્રાપ્તિમાં તે મદદરૂપ બનશે નહિ. બીજી અવસ્થામાં નિશ્ચિત શબ્દાર્થ સંબંધ, પદોનો પરસ્પર સંબંધ, પદો ઉપરથી વાકયની સંપ્રાપ્તિ વગેરે શબ્દ અને જ્ઞાનનો અવિભાજ્ય સંબંધ દર્શાવે છે. વારૂપતા જ પ્રત્યવમશિની અર્થાત પ્રકાશની પ્રકાશિકા છે. અભિનવગત વારૂપતાને મહાસત્તા અને પરમાત્માનું હૃદય કહે છે.
सा स्फुरत्ता महासत्ता देशकालाविशेषिणी । सैषा सारतया प्रोक्ता हृदयं परमेष्ठिनः ॥
–ફશ્વર ત્રત્યમિજ્ઞાવિકૃતિવિમર્શની ૧૧.૨ વાગરૂપતા. અવધ, પ્રક શ અને પ્રત્યવમર્શ એ શબ્દો પ્રાચીન વ્યકિરણગિમની પરંપરામાંથી સ્વીકારીને ભતૃહરિએ તેમને વિસ્તાર્યા છે. અવધ અર્થાત જ્ઞાન, તેને શબ્દ સાથેને નિત્ય અને એકત્વરૂપ સંબંધ એટલે વાગરૂપતા. સુષુપ્ત અવસ્થામાં પણ આ સૂક્ષ્મ વાગ્ધ પ્રાપ્ત થાય છે. પ્રકાશ એટલે બાહ્ય અર્થનું જ્ઞાન. પ્રત્યવમર્શ એટલે બાહ્યાનો પ્રકાશ જેને કારણે થાય છે તે અર્થાત પ્રકારનું પણ પ્રકાશક એવું તત્ત્વ. આ પ્રત્યવમશને વાગરૂપતા કહી શકારો.
ભતૃહરિએ નિર્દેશલ આ ચર્ચાને પોતાની રીતે અવતારીને તેમનું સૂક્ષ્મ વ્યાખ્યાન ઉત્પલે પિતાના ફ્રેશ્વર 3યમિજ્ઞામાં અને અભિનવગુપતે શ્વગ્રામિણાવિકૃતિવિ ર્શિનીમાં કયું* છે. તેમને મતે પ્રત્યવમ એટલે જ્ઞાનરૂપ પ્રકાશની શબ્દ દ્વારા પરિકલ્પના. તેમને અભિલાપ અથવા શબ્દને કહી શકાય. આ શબદન કેઈ સંકેત કે પૂર્વવાસના ઉપર આધૃત નથી. તે અવિચ્છિન્ન ચમત્કારાત્મક છે. ઉત્પલ તેને ચિતિ અથવા પરાવકુ કહે છે. તે બાહ્ય અને સ્થાન પ્રયત્નથી જન્મેલ વૈખરીરૂપ શબ્દસમૂહ નથી પરંતુ આંતર નિત્ય વાતત્ત્વ છે.
चितिः प्रत्यवभत्मिा परावाकू स्वरसोदिता । स्वातन्त्र्यमेतन्मुख्यं तदेश्वर्य परमात्मनः ।।
-ईश्वर प्रत्यमिज्ञा ५।१३ विषयरूपाच्छोत्रग्राह्याच्छब्दादन्य एवान्तरवभासमानः संविदपावेशी शब्दनात्माभिलापो वागित्यनेनोकतः ।
–ફ્રેશ્વરવત્યમિજ્ઞાવિકૃતિ, પૃ. ૩૦૩ सा सर्वविद्याशिल्पानां कलानां चोपबन्धनी ।
तदशादभिनिष्पन्नं सर्व वस्तु विभव्यते ॥१३३॥ તે (વારૂપતા) બધી વિદ્યાઓ, બધાં શિપ અને બધી કલાઓનો આધાર છે. તેને કારણે વ્યક્ત થયેલ બધું પૃથફ સમજાય છે. (૧૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org