________________
પ્રથમ કાંડ
शब्दस्य परिणामोऽयमित्याम्नायविदो विदुः ।
छन्दोभ्य एव प्रथममेतद्विश्व प्रवर्तते ॥१२४॥ વેદના જ્ઞાતાઓ સમજે છે કે આ (વાવાચક ભેદવાળે સંસાર) શબ્દનું જ પરિણામ છે (સૃષ્ટિના) આરંભમાં છન્દોમાંથી જ આ વિશ્વ પ્રવૃત્ત થયું છે.(૨૪)
અહીં- “શબ્દઃ અને છન્દ' બંને શબ્દોનો અર્થ સૂક્ષ્મ વાકુતર છે. વેદના જ્ઞાતાઓ વેદને સૂક્ષ્મ વાકતત્ત્વરૂપે સમજે છે અને તેથી વેદ અર્થાત્ છન્દસમાંથી જ આ વિશ્વની ઉત્પત્તિને તેઓ જાહેર કરે છે
આ કારિકા ઉપરની વિસ્તૃત ચોવજ્ઞવૃત્તિમાં વિશ્વની ઉત્પત્તિ અંગે મત રજ થયા છે. વૈશેષિકે અણુસમૂહમાંથી અને સાંખ્યો પ્રધાનમાંથી જગતની ઉત્પત્તિ સમજાવે છે. બીજી કેટલીક દર્શન પરંપરાઓ અવિદ્યા નામે ઓળખાતા શક્તિસમૂહમાંથી તેની ઉત્પત્તિ જણાવે છે. જન્મ અને વિકારથી અસ્કૃષ્ટ વિવત (ગરમ પરિણામ સંસ* વિવર્તમ)) જગતની ઉત્પત્તિ માટે જવાબદાર છે એવો પણ કેટલાકનો મત છે. વોવજ્ઞમાંનાં કેટલાંક અવતરણે પ્રાચીન અને આપણને અજાણ્યા બ્રાહ્મણગ્રંથનાં ગઘવચનો છે.
विभज्य बहुधात्मानं स च्छन्दस्यः प्रजापतिः ।
छन्दोमयीभिर्मात्राभिबहुधैव . विवेश ताम् ॥१२५॥ છન્દસૂ સાથે તાદામ્યવાળા પ્રજાપતિએ પિતાના સ્વરૂપને અનેક પ્રકારે વિભક્ત કરીને તે છન્દોમયી શક્તિઓ સાથે તે સ્વરૂપમાં અનેક પ્રકારે પ્રવેશ કર્યો.
(૧૨૫) કારિકા ૧૨૪ ઉપરની વોરાત્તિ માં ૧૨૫ થી ૧૨૮ કારિકાએ પુરા જોવાઇ ! એવા શબ્દોથી રજૂ કરવામાં આવી છે. છદસૂમાંથી આ વિશ્વ ઉત્ક્રાંતિ પામ્યું છે એવા વિચારની પુષ્ટિ કરતા આ શ્લોકો કેઈક પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યા છે. ઇન્ડોમરિમિક માત્રામ: \ એટલે પ્રજાપતિની છરૂપ શક્તિઓ અર્થાત્ છન્દરૂપે અભિવ્યક્ત થયેલ વિવિધ અંશે. (વાગ્યવાદ: છેલ માત્રામઃ – વીત્રી)
साध्वी वाग्भूयसी येषु पुरुषेषु व्यवस्थिता ।
अधिकं वर्तते तेषु पुण्यं रूपं प्रजापतेः ॥१२६॥ જે પુરુષો(વૈયાકરણ)માં શુદ્ધ વાણી વિપુલ પ્રમાણમાં રહેલી છે તેમનામાં પ્રજાપતિનું પુણ્યજનક રૂપ વધારે રહેલું છે. (૧૨૬)
प्राजापत्यं महत्तेजस्तत्पात्रैरिव संवृतम् ।
शरीरभेदे विदुषां स्वां योनिमुपगच्छति ॥१२७॥ પ્રજાપતિનું, જાણે પાત્રો વડે ઢંકાયેલું હોય તેવું તે મહાન તેજ, વિદ્વાનોના શરીરને નાશ થતાં, પોતાના મૂળ સ્થાનમાં જાય છે. (૨૭)
વા- ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org