SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ પ્રથમ કાંડ આ ચાર કારિકાઓમાં જ્ઞાન શબ્દરૂપે પરિણમે છે એવો મત ભાષ્યકારને છે એમ કયદ જણાવે છે (જ્ઞાનસ્થ રાઠવાિિરતિ નિમત્ર માથકારશે | (ભાયાતોચો? .. ૧.૪.૨૯ સૂત્રમા ચ9ી). આ ચાર કારિકાઓ પછી સ્ટોપજ્ઞના શબ્દો છે ? હૃત્યેવમાદ્રિ સર્વેમનુરાન્તવ્ય નિયનમાત્ર ચેક્ વરુધા શિક્ષgaઝારમાદયમતાનિ દૃશ્યન્ત | આ શબ્દો ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ ચાર કારિકાઓમાં, તેની પહેલાંની ૧૦૮ અને ૧૦૯માં તથા કરિકાઓ ૧૧૦ અને ૧૧૧માં કારિકા ૧૦૭માં દર્શાવેલ મતત્રયનો વિરતાર કરવામાં આ છે આ કારિકાએ ૧૦૮થી ૧૧પને અવતરશે સમજવાનો મત પ્રચલિત થયા છે. આ બાબતમાં કશું નિશ્ચિતપણે કહી શકાશે નહિ. કારિકા ૧૧૮ ની વવજ્ઞવૃત્તિમાં શિક્ષાકારો અને શિક્ષાભાષ્યોના મતો દર્શાવવામાં આવ્યા છે. ૧. વાયુરૂપ પ્રાણ આંતર પ્રયત્નથી ઊંચે ચઢીને જઠર અગ્નિની મદદથી શબ્દનું વહન કરનાર નાડીઓમાં શબ્દના સૂક્ષ્માંશને એકત્ર કરે છે. સ્થાનોમાં એકત્ર થયેલ આવા શબ્દાંશે આંતરશબ્દનું અવિભક્તરૂપ ધારણ કરે છે. ૨. નાભિપ્રદેશમાંથી પ્રયત્ન વડે પ્રેરિત થયેલ વાયુ ઊંચે ચઢી ઉરમ્ર વગેરે સ્થાનોમાં અભિવાત કરે છે અને શબ્દ ઉત્પન્ન થાય છે. વેઢવાતિશાહ (1 રૂ.૧) પણ આવો મત (વાયુ: સ્થાનમ79ઢાનમાષચત્તે | સ ટાસ; ભાસતાં નાસતા વા “વાયુરૂપ પ્રાણ કેન્ટ સ્થાનમાં પહોંચે છે અને ત્યાં તે શ્વાસ અને નાદ બને છે.” દર્શાવે છે. આવા મત પ્રાચીન શિક્ષાઓ, પ્રાતિશાખ્યો અને શિક્ષા ભાગોમાં પ્રાપ્ત હતા. તેમાંના કેટલાકને અહીં ઉલ્લેખવામાં આવ્યા છે. * आत्मा बुद्धया समर्थ्यार्थान्मनो युफ्ते विवक्षया । मनः कायाग्निमाहन्ति स प्रेरयति मारुतम् ॥११९॥ બુદ્ધિ વડે અર્થોનું ગ્રહણ કરી આત્મા મનને ઉચ્ચારણની ઇચ્છા સાથે જ છે. મન કાયાગ્નિને પ્રજવલિત કરે છે અને તે (કાયાગ્નિપ્રાણવાયુને પ્રેરે છે. (૧૧૯) ૧૦૯મી કારિકા ઉપરની હatવજ્ઞવૃત્તિમાં ભાવાર્ય ઉત્પાદ એવા શબ્દોથી આ કારિકા રજૂ કરવામાં આવી છે. આ કારિકા પાણિનીય શિક્ષા अजस्रवृत्तिर्यः शब्दः सूक्ष्मत्वान्नोपलभ्यते । व्यजनाद्वायुरिव स्वनिमित्तात्प्रतीयते ।।१२०॥ જે નિત્ય (સ્થિતિવાળા) શબ્દ સૂક્ષ્મ હોવાને કારણે (કાન વડે ) ગ્રહણ કરી શકાતો નથી તે, પંખ નાખવાવડે જેમ વાયુનું ગ્રહણ થાય તેમ પોતાના નિમિત્ત (એવા સ્થાનકરણના અભિઘાત)થી સમજાય છે. (૧૨) વાયુનાં સર્વત્ર રહેલાં પરમાણુઓ જેમ એક તરફ ધકેલાય અને વાયુરૂપે સમજાય તેમ સર્વત્ર રહેલાં ધ્વનિ પરમાણુ કરણ વડે અભિઘાતથી શબ્દરૂપ ધારણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy