________________
પ્રથમ કાંડ
* लब्धक्रियः प्रयत्नेन वक्तुरिच्छानुवर्तिना ।
स्थानेष्वभिहतो वायुः शब्दत्वं प्रतिपद्यते ॥११॥ * तस्य कारणसामर्थ्याद् वेगप्रचयधर्मणः ।
संनिपाताद्विभज्यन्ते सारवत्योऽपि मूर्तयः ॥११२॥ વક્તાની ઇચ્છાને અનુસરતા પ્રયત્ન વડે ગતિ પ્રાપ્ત કરનાર વાયુ (ઉચ્ચારણ) સ્થાનોમાં અભિઘાત પામીને શબ્દરૂપે પ્રાપ્ત કરે છે. ક્રિયા ઉત્પન્ન કરનારા પ્રયત્ન (વિશેષ)ના સામર્થ્યને લીધે વેગ અને ઘનતાવાળા તે (વાયુના) અભિઘાત(વેગ)ને કારણે કઠિન પદાર્થો પણ વિભક્ત બને છે. (૧૧૧-૧૧૨)
* अणवः सर्वशक्तित्वाभेदसंसर्ग वृत्तयः ।
छायातपतमाशब्दभावेन परिणामिनः ।।११३। * स्वशक्तौ व्यज्यमानायां प्रयत्नेन समीरिताः ।
अभ्राणीव प्रचीयन्ते शब्दाख्याः परमाणवः ॥११५॥ વિભાગ અને સંગ રૂપ સ્વભાવવાળાં અણુઓ (તેમનામાં) બધી શક્તિઓ હોવાને લીધે છાયા, પ્રકાશ, અંધકાર અને શબ્દરૂપે પરિણામ પામે છે. પિતાની શક્તિ વ્યક્ત (
કાનૂખ) બનતાં, પ્રયત્નને કારણે (પ્રેરાયેલ વાયુ વડે) ક્રિયાશીલ બનેલાં શબ્દનામે પરમાણુઓ પવનથી એકઠાં થતાં વાદળોની જેમ, એકઠાં થાય છે. (૧૧૩-૧૧૪)
આ બે કારિકાઓમાં પરમાણુઓ શબ્દરૂપે પરિણામ પામે છે તે પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. અહીં પાર્થિવ, આપ્ય, તેજસ અને વાયવીય એમ ચાર પ્રકારનાં, વૈશેષિક મતમાં માન્ય, પરમાણુઓને ઉલ્લેખ નથી. પરંતુ રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અરે શબ્દ એમ પાંચ પ્રકારનાં સાંખ્ય મતને અભિપ્રેત તન્માત્રામાંના શબ્દત-માત્રાનો ઉલેખ છે. ભેદ અને સંસર્ગ અર્થાત વિભાગ અને સંયોગરૂપી વૃત્તિવાળા આ શબ્દ પરમાણુઓ જયારે અદષ્ટવિશેષથી પ્રેરાયેલ નિમિત્તને લીધે એકત્ર બને છે ત્યારે શબ્દરૂપે પરિણામ પામે છે.
भेो विभाग: । संसर्गः संयोगः। तो वृत्तिरेषामिति । यदा कुतश्चिन्निमित्तात्संयुज्यन्ते तदा परिणमन्ते यदा तु विभज्यन्ते तदा परमाणुछायामवतिष्ठन्ते । प्रद्धति
સરખાવો નાગેશનાં વચનો તોપને ૧.૪.૦૯. સૂત્રભાષ્યકૈયટ ઉપર ઉદ્યોત) જેમાં ભdહરિની આ કારિકાઓને અવતાર કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org