SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ વાકષ૫દીયા અભિવ્યક્ત કરતા રહે છે. સ્વપજ્ઞવૃત્તિમાં આ ધ્વનિઓને આનુષગિક ધ્વનિએ કહ્યા છે. એક જવાળામાંથી બીજી વાળા, બીજમાંથી ત્રીજી એમ સતત પ્રજવલન ચાલુ રહે છે. તેમાં વચ્ચેની જ્વાળાઓને જેમ આનુષગિક જવાળાઓ કહીશું તેમ સતત પ્રાપ્ત થતા કંપને લીધે ઉપન્ન થતા ધ્વનિઓ સ્ફોટની અભિવ્યક્તિમાં મદદરૂપ થાય છે. સરખાવો- નાચું નાઢઃ પ્રયકૃત રીરિ મેર: વિદif #ોટામદઉમેઢ ત હુતાવનેकावयवोपसंहाररूपेण बहुमिरभिघातैर्निष्पाद्यते ।-प्रद्धति જે તૂવરતેને બદલે ક વેળ તે એવો પાઠ મળે છે. अनवस्थितकम्पेऽपि करणे ध्वनयोऽपरे । स्फोटादेवोपजायन्ते ज्वाला ज्वालान्तरादिव ॥१०९॥ | (સ્થાનો અને કરણના (અભિઘાતથી પ્રાપ્ત થતો) કંપ બંધ થયા પછી પણ, જેમ એક જવાળામાંથી બીજી જ્વાળા ઉત્પન્ન થાય તેમ ફેટમાંથી જ બીજા વિનિઓ ઉત્પન્ન થાય છે. (૧૦૯) सा चेयमुत्पत्तिरिन्धनज्वाला प्रवृत्तिप्रबन्धधर्मेणाख्यायते तद्यथेन्धनाश्रिताभिर्वालाभिर्वाला. कार्यसन्तानसमुद्भव। ज्वाला; संप्रवर्तन्ते । तत्प्रकाशेन चार्थानामुपकुर्वन्ति तथेयमपि नादप्रवृत्तिरिति । - વાવણ वायोरणूनां ज्ञानस्य शब्दत्वापत्तिरिष्यते । कैश्चिद्दर्शनभेदो हि प्रवादेष्वनवस्थितः ॥११०॥ વાયુ, અણુઓ અથવા જ્ઞાન શબ્દરૂપે પરિણામ પામે છે એમ કેટલાક જાહેર કરે છે. (આ) પ્રવાદમાં દર્શનભેદ નિશ્ચિત થતો નથી. (૧૧૦) ' શબ્દને ઉત્પાઘ માનીને અહીં શબ્દનાં ઉપાદાનકારણો જણાવવામાં આવ્યાં છે : (૧) વાયુ શબ્દરૂપે પરિણમે છે, (૨) અણુઓ શબ્દરૂપે પરિણમે છે, (૩) જ્ઞાન શબ્દરૂપે પરિણમે છે. કારિકા ૧૧૦માં આ ત્રણ મતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ કારિકા ઉપર પણ ટીકા પ્રાપ્ત થતી નથી. પછીની ૧૧૧ અને ૧૧૨ એ બે કારિકાઓમાં વાયુને શબ્દરૂપે પરિણામ કેવી રીતે થાય છે તેની પ્રક્રિયા દર્શાવી છે. કારિકા ૧૧૩ અને ૧૧માં અણુએ શબ્દરૂપે પરિણમે છે તેની પ્રક્રિયા દર્શાવી છે અને ૧૧૫ ૧૧૮ સુધીની કારિકાઓમાં જ્ઞાન શબ્દરૂપે પરિણમે છે તે અંગે પ્રક્રિયા દર્શાવી છે. આ કારિકાએ ઉપરની તો જ્ઞમાં કેવળ એક વાક્યમાં માત્ર મતોનો જ ઉલ્લેખ દરેક મત પૂરો થતાં “એ પ્રમાણે બધું સમજવું'' ( રૂચમારિ સર્વમનાતગમૂ ) એવા શબ્દ મૂક્યા છે. આ ઉપરથી આ કારિકાઓ ૧૧૦થી ૧૧૮, વાક્યપદીયને અંતર્ગત ભાગ નથી એવો કેટલાકે (સુબ્રહ્મણ્ય ઐયર પૂના સંસ્કરણ પ્રસ્તાવના) મત દર્શાવ્યા છે. ઋષભદેવે પિતાની પદ્ધતિમાં તેમને વાકયપદીના ભાગરૂપે ગણી છે. આ ઉપરથી કરશે નિશ્ચય થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy