________________
વાકય પકીય અભિવ્યક્તિ (કાંઈ) અનિમાં જ અનિવાર્યપણે સીમિત નથી. નિત્ય એવી જાતિઓની તેમના આશ્રયે વડે (થતી) અભિવ્યક્તિ સ્વીકારી શકાય છે. (૯૮).
ધ્વનિઓ શબ્દ અર્થાત્ ફેટને અભિવ્યક્ત કરે છે એવા મતનો વિરોધ કરનારી દલીલેનો કારિકાઓ ૯૫થી ૧૦૧માં ઉત્તર આપવામાં આવ્યો છે. અભિવ્યક્તિવાદના વિરોધીઓ જણાવે છે કે દીવાના પ્રકાશ વડે ઘટ વગેરે અનિત્ય પદાર્થો અભિવ્યક્ત થાય છે તેમ શબ્દ પણ ધ્વનિઓ વડે અભિવ્યક્ત થાય છે, એમ જે માનો તો શબ્દ, ઘટની જેમ, અનિત્ય ઠરશે. જે શબ્દ ધ્વનિઓ વડે અભિવ્યકત થતો નથી એમ માનવામાં આવે છે તે ઉતપન્ન થાય છે એમ માનવું પડે અને તેથી પણ શબ્દ અનિત્ય કરશે. આની સામે એમ કહી શકાય કે નિત્ય એવી શબ્દજાતિઓ છે અને અનિત્ય ઘટાટિ પણ છે. બંનેની અભિ
વ્યક્તિ શક્ય છે. અને તેથી “અભિવ્યડ્રગ્ય હેઈને, ઘટની જેમ, શબ્દ અનિત્ય છે (શબ્દો:નિtsમિગ્રતયાત્ ઘટવ7 !) એવો અનૈકાન્તિક હેતુ સ્વીકારી શકાય નહિ. આ ઉપરથી સ્પષ્ટ થશે કે અભિવ્યક્તિ માત્ર નિત્ય કે માત્ર અનિત્ય પૂરતી સીમિત નથી.
देशादिभिश्च संबन्धो दृष्टः कायवतामपि ।
देशभेदविकल्पेऽपि न भेदो ध्वनिशब्दयोः ॥९९॥ મૂર્ત પદાર્થોનો પણ દેશ વગેરે સાથેનો સંબંધ જાણીતું છે. વનિ અને શબ્દ વચ્ચેનો દેશભેદ ક૯૫વામાં આવે તે પણ તેમની વચ્ચે (વાસ્તવિક) ભેદ નથી. (૯)
ઘટાદિ પદાર્થો તેમની સાથે સમાન દેશમાં રહેલ પ્રદીપ વગેરે વડે અભિવ્યક્ત થાય છે. પરંતુ કરણ સાથે સંયેગ-વિભાગ જ્યાં થાય છે તેનાથી જુદા સ્થાનમાં શબ્દની અભિવ્યક્તિ થાય છે. અભિવ્યક્તિવાદ સામેની આ દલીલનો ઉત્તર આપતાં જણાવ્યું છે કે એક સ્થાનમાં રહેવું કે અનેક સ્થાનમાં રહેવું એ તે મૂર્ત દ્રવ્યોનો સ્વભાવ છે. વનિ અને શબ્દ અમૂર્ત હોવાથી દેશભેદથી પર છે.
ग्रहणग्राह्ययोः सिद्धा योग्यता नियता यथा ।
व्यङ्ग्यव्यञ्जकभावेऽपि तथैव स्फोटनादयोः ॥१०॥ ઈન્દ્રિય અને પદાર્થો વચ્ચે જેમ નિત્ય સંબંધ નિશ્ચિત છે તેમ ફેટ અને નાદને વ્યંગ્ય અને વ્યંજકભાવમાં પણ (તે સંબંધ નિશ્ચિત) છે (૧૦૦)
બીજા ગુણો કે બીજી કોઈ ઇન્દ્રિ અથવા બીજી ઈન્દ્રિયોના ગુણો જેમ બાહ્ય રૂ૫ની અભિવ્યક્તિનું નિમિત્ત બનતા નથી પંરતુ માત્ર ચક્ષુ સાથે સંમત રૂપ જ બાહ્યરૂપની અભિવ્યક્તિનું કારણ બને છે તેમ દવનિઓ જ બાહ્ય અભિવ્યકિતનાં કારણ બને છે.
યોગ્યતા એટલે શક્તિરૂપ નિત્ય સંબંધ. આવો સંબધ ઈન્દ્રિયો અને પદાર્થો વચ્ચે નિયત અર્થાત સિદ્ધ જ હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org