________________
૩૮
વાકયપદીય
જેમ પહેલાંની સંખ્યાઓનું જ્ઞાન, તે સંખ્યાઓ, પછીની સંખ્યાઓ કરતાં જુદી હોવા છતાં, (ઈષ્ટ) સંખ્યાના જ્ઞાન માટે ઉપાયરૂપ હોય છે તેમ (દેવદત્ત વગેરે) અન્ય શબ્દોનું જ્ઞાન (વાકયજ્ઞાન માટે ઉપાયરૂપ બને) છે. (૯૦)
“” વર્ણને અભિવ્યક્ત કરતે ધ્વનિ “ગાય” શબ્દને અભિવ્યક્ત કરતા ધ્વનિએથી જુદ હોય છે. તે જ પ્રમાણે “ગાય” શબ્દને વ્યક્ત કરતા ધ્વનિ ઓ “ગાયને લાવ” એવા વાક્યને અભિવ્યક્ત કરતા ધ્વનિઓ કરતાં જુદા હોય છે. પરંતુ તે ધ્વનિઓ એકરૂપ ભાસતા હોવાથી તેમને એકબીજા જેવા ગણવામાં આવે છે. વર્ણ, પદ, અને વાક્યને ઉપન્ન કરનારા ધ્વનિએ કારણની દૃષ્ટિએ અને કાર્યની દૃષ્ટિએ જુદા જુદા હોય છે. આવી ભિન્નતા હોવા છતાં તેમને કપનામાં એકરૂપે સમજવામાં આવે છે. વણ, પદ અને વાક્યને વ્યક્ત કરવાની તેમની શક્તિઓ પરસ્પર સંમિશ્ર થઈ ગઈ હોય એવો આભાસ થાય છે.
प्रत्येक व्यञ्जका भिन्ना वर्णवाक्यपदेषु ये ।
तेषामत्यन्तभेदेऽपि संकीर्णा इव शक्तयः ।।९१॥ વર્ણ, પદ અને વાક્યને વ્યક્ત કરતા એકબીજાથી ભિન્ન જે (વનિએ છે તે) અત્યંત ભિન્ન હોવા છતાં તેમની શક્તિઓ એક બીજા સાથે મિશ્ર થઈ હોય તેમ દેખાય છે. (૧)
यथैव दर्शनैः पूर्वरात्संतमसेऽपि वा । अन्यथाकृत्य विषयमन्यथैवाध्यवस्यति ॥९२॥ व्यज्यमाने तथा वाक्ये वाक्याभिव्यक्तिहेतुभिः ।
भागावग्रहरूपेण पूर्व बुद्धि : प्रवर्तते ॥९३॥ જેમ પદાર્થને દૂરથી કે ગાઢ અંધકારમાં, પહેલાં અવકનોને લીધે જદી રીતે સમજીને પછી તેનાથી જુદી રીતે (યથાવત ) અવલેકે છે તેમ વાકયને વ્યક્ત કરવામાં કારણરૂપ બનેલા ધ્વનિઓ વડે જ્યારે વાયની અભિવ્યક્ત થાય છે ત્યારે પહેલાં (વણ, પદ વગેરે) ભાગોના જ્ઞાન રૂપે બુદ્ધિ પ્રવર્તમાન બને છે. (૨-૯૩)
यथानुपूर्वी नियमो विकारे क्षीरबीजयोः
तथैव प्रतिपतॄणां नियतो बुद्धिषु क्रमः ॥९४॥ જેમ દૂધ અને બીજના વિકાસમાં ક્રમનો નિયમ હોય છે તેમ (વાયના જ્ઞાન અંગે) વિજ્ઞાતાઓની બુદ્ધિમાં પણ નિશ્ચિત કેમ હોય છે. (૯૪)
જેમ દૂધમાંથી દહીં, છાશ, ઘી વગેરે વિકારોનો ક્રમ નિયત હોય છે, જેમ બીજ અંકુર, પણું, પુષ્પ, ફળ એવો ક્રમ નિયત હોય છે, તેમ વાગ્યાથના જ્ઞાન માટે પણ જ્ઞાતાની બુદ્ધિમાં વર્ણ, પદ, વગેરેને ક્રમ નિશ્ચિત બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org