________________
પ્રથમ કાંડ
૩૭ (અવયા) છે એમ જે માને છે, તે તે શ્રોતાની અશક્તિને કારણે) છે. તે (વહિઅવયવ છે એવી સમજણ) તે શબ્દના બેધનું (માત્ર) સાધન જ છે. (૮૭)
અન્તરાલ એટલે પહેલા અને છેલ્લા ધ્વનિની વચ્ચેની સ્થિતિ. બીજી રીતે કહીએ તે અન્ય ધ્વનિ વડે અભિવ્યક્ત બનતા સમસ્ત શબ્દનું ગ્રહણ થાય તે પહેલાંની સ્થિતિ
શબ્દનું ગ્રહણ કરનારે શ્રેતા એમ માને છે કે સ્પષ્ટ શબ્દપ્રહણ થયા પૂર્વે પૂર્વ પૂર્વના ધ્વનિવડે - ફેટનો એક ભાગ અભિવ્યક્ત થાય છે. આ માન્યતા બરાબર નથી. તે તો શ્રેતાની અશક્તિ છે.
इह निर्भागेष्वपूर्वापरेवभेद्येषु वर्णपदवाक्येषु ध्वनिनाभिव्यज्यमानेषु वणे तावद्वर्णावयवसरूपाः भागाभिनिवेशिन्य इव बुद्धय उपजायन्ते पदे वर्णग्रहणरूपा; वाक्ये पदग्रहणसरूवाः । ताभिश्च बुद्धिभिरुपलब्धारो भागभूतानसत: शब्दानस्तित्वेनाभिमन्यते ।-स्वोपज्ञ
भेदानुकारो ज्ञानस्य वाचश्चोपप्लवो ध्रुवः ।
क्रमोपसृष्टरूपा वाग् ज्ञानं ज्ञेयव्यपाश्रयम् ॥८८॥ જ્ઞાનમાં અને શબ્દમાં ભેદને જે આભાસ થાય છે તે ક૯૫ના (માત્ર) છે. જ્ઞાન જેમ ય સાથે સંબદ્ધ છે તેમ શબ્દ પણ ક્રમ સાથે જોડાયેલા સ્વરૂપવાળ છે (૮૮)
જ્ઞાન વાસ્તવમાં અભિન્ન અને નિરાકાર હોઈને અરૂપ હોવા છતાં ભિન્ન અને રૂપવાન દેખાય છે. તેવી રીતે આન્તર શબ્દાત્મા બધા ક્રમનો ઉપસંહાર કરીને રહ્યો હોય છતાં વ્યંજક ધ્વનિએના ભેદથી જાણે કે રંગાઈને ભેદવાન અને રૂપવાન હોય તેમ ભાસે છે. લૌકિક વ્યવહારમાં પણ શેય વિના જ્ઞાન ટકતું નથી; અને ક્રમને પામ્યા વિના શબ્દ અર્થને પ્રગટ કરી શકતો નથી.
ज्ञेयेन न विना ज्ञानं व्यवहारेऽवतिष्ठते।
नालब्धकमया वाचा कश्चिदर्थोऽभिधीयते ।। ८९।।* વ્યવહારમાં ય વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કમને પ્રાપ્ત નહિ કરનારી વાણી વડે કશે અર્થ જણાવાતું નથી. (૮૯)
કારિકા ૮૮ ઉપરની વવજ્ઞાત્તિમાં માતર તરીકે પૂર્વ ઘાદ એવા શબ્દોથી આ કારિકા રજૂ કરવામાં આવી છે. જ્ઞાન અભિન્ન અને અરૂ૫ છે, છતાં યરૂપની વિવિધતાને કારણે શાન ભિન્ન અને રૂપવાન હોય તેમ ભાસે છે.
यथाद्यसंख्याग्रहणमुपायः प्रतिपत्तये । संख्यान्तराणां भेदेऽपि तथा शब्दान्तरश्रुतिः ॥९०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org