SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ ૩પ इन्द्रियस्यैव संस्कारः समाधानाञ्जनादिभिः । विषयम्य तु संस्कारस्तद्गन्धप्रतिपत्तये ॥८१॥ चक्षुषः प्राप्यकारित्वे तेजसा तु द्वयोरपि । विषयेन्द्रिययोरिष्टः संस्कारः स क्रमो ध्वनेः ॥८२।। એકાગ્રતા વડે અને અંજનના ઉપયોગ વડે ઈન્દ્રિયને જ સંસ્કાર થાય છે. વિષયને સંસ્કાર તો તેમાંની વાસના જ્ઞાન માટે છે; નેત્ર વિષયપ્રદેશમાં પહોંચીને વિષયનું) ગ્રહણ કરે છે (એ પક્ષમાં) તેજ, વિષયનો તથા ઇન્દ્રિયનો એમ બંનેનો સંસ્કાર કરે છે એમ સ્વીકારવામાં આવ્યું છે. ઇવનિઓ વડે શબ્દના ગ્રહણ અંગે પણ આ જ ક્રમ છે. (૮૧-૮૨). સમાધાન એટલે એકાગ્રતા. તે મનનો સંસ્કાર છે. આવી એકાગ્રતા લૌકિક અર્થાત આપણા જેવાની અને અલૌકિક એટલે દિવ્ય દૃષ્ટિવાળા યોગીની હોઈ શકે. અંજન નેત્રનો સંસ્કાર કરે છે. એકાગ્રતા જેમ પદાર્થમાં કોઈ વિશિષ્ટતા પ્રાપ્ત કરાવતી નથી, તેમ અંજન પણ પદાર્થમાં કશી વિશિષ્ટતા જન્માવતું નથી. યોગીઓની એકાગ્રતા દૂરના કે અત્યંત સૂકમ પદાર્થોનું જ્ઞાન કરાવે છે, પરંતુ પદાર્થમાં કશો ફેરફાર કરતી નથી. અંજન નેત્રને સૂક્ષ્મ દ્રવ્ય જેવાની વિશેષ શક્તિ આપે છે. તેલ જેવા દ્રવ્યનો સંસ્કાર અર્થાત તડકાથી કે અગ્નિ વડે તપાવવાનો સંસ્કાર તે તેલની વાસને જાણવા માટે થાય છે. માટી ઉપર પાણી છાંટવાથી તેમાં રહેલી વાર પ્રાપ્ત થાય છે. વિષયના સંસ્કારમાં ઇન્દ્રિયના સંસ્કારને સ્થાન નથી. ચક્ષુનું પ્રાકારિત્વ એટલે ચહ્ન વિષયપ્રદેશમાં પહોંચીને વિષય સાથે જોડાઈ વિષયનુ ગ્રહણ કરે છે તે. स्फोटरूपाविभागेन ध्वनेर्ग्रहणमिष्यते । कैश्चिद् ध्वनिरसंवेद्यः स्वतन्त्रोऽन्यैः प्रकल्पितः ॥८३॥ કેટલાકના મતમાં, વનિનું ગ્રહણ સફેટ સાથે અભિન્નરૂપે થાય છે એમ સ્વીકારવામાં આવ્યું છે; (બીજા) કેટલાકે વનિને અવિજ્ઞાત (માન્ય) છે અને હવળી) કેટલાકે તેને સ્વતંત્ર (તસ્વરૂપે) માન્ય છે. (૮૩) આ કારિકામાં અભિવ્યક્તિવાદીઓના અન્ય ત્રણ મતનો ઉલ્લેખ થયો છે. (૧) શબ્દ સાથે અભિન્નરૂપે રહેલ ધ્વનિને શબ્દ સાથે એકરૂપ સમજવો જોઈએ. (૨) જેમ ઈન્દ્રિો પતે અસંવેદ્ય રહીને દ્રવ્યનું જ્ઞાન કરાવે છે તેમ ધ્વનિએ અસંવેદ્ય રહે છે છતાં શબ્દના જ્ઞાનનું કારણ બને છે. (૩) ધ્વનિએ સ્વતંત્ર રહે છે. ત્રપિતા ને બદલે કાશિતઃ એવો પાઠ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy