________________
૩૪
વાકયપદીય
શબ્દની અભિવ્યક્તિમાં પ્રાકૃત વનિ કારણરૂપ બને છે. વિકૃત (ધ્વનિ ચિર, અચિર, વગેરે) સ્થિતિભેદનું નિમિત્ત બને છે. (૭૮)
કારિકા ૭૭ ઉપરની વોવજ્ઞવૃત્તિમાં પૂર્વ દિ સહારઃ પઠતિ ! એવા શબ્દોથી આ કારિકા રજૂ કરવામાં આવી છે. તેમાં બે પ્રકારના સ્વનિએ, પ્રાકૃત ધ્વનિ અને વૈકૃત ધ્વનિનો ઉલ્લેખ છે. પ્રાકૃત ધ્વનિ વિના સ્ફોટ અભિવ્યક્ત બનતો નથી અને તેથી તેનો નિશ્ચય થતો નથી. વિકૃત ધ્વનિ વડે ફેટસ્વરૂપ વારંવાર અવિચ્છિન્નપણે પ્રાપ્ત થતું રહે છે.
शब्दस्योर्ध्वमभिव्यक्तेर्वृत्तिभेदं तु वैकृताः ।
ध्वनयः समुपोइन्ते स्फोटात्मा तैर्न भिद्यते ॥७९॥ શબ્દની અભિવ્યક્તિ થયા પછી ઉત્પન્ન થતા વૈકૃત વનિઓ (કૂતાદિ) વૃત્તિભેદ જન્માવે છે, પરંતુ તે (વૃત્તિભેદ) વડે ફેટતવમાં ફેરફાર થતો નથી. (૭૯)
વૃષભદેવ જણાવે છે કે સ્ફોટની અભિવ્યક્તિ કરનાર પ્રાકૃત ધ્વનિ પહેલાં ઉત્પન્ન થાય છે અને વિકૃત સ્વનિ ફેટની અભિવ્યક્તિ પછી ઉત્પન્ન થાય છે. તેથી ફેટ અને વિકૃત ધ્વનિ વચ્ચેનો ભેદ શ્રેતા માટે સ્પષ્ટ થતો હોવાથી વૈકૃત ધ્વનિના કુતાદિ વૃત્તિભેદો સ્ફોટમાં આપવામાં આવતા નથી.
इन्द्रियस्यैव संस्कारः शब्दस्यैवोभयस्य वा ।
क्रियते ध्वनिभिर्वादास्त्रयोऽभिव्यक्तिवादिनाम् ।।८।। વનિઓ વડે શબ્દની અભિવ્યકિત થાય છે એમ માનનારા ઇન્દ્રિયને, શબ્દનો અને બંનેને સંસ્કાર થાય છે, એમ ત્રણ મત દર્શાવે છે.(૮૦)
આ કારિકામાં શબ્દની અભિવ્યક્તિની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. પછીની બે કારિકાઓમાં ઉદાહરણે રજુ કરીને પ્રક્રિયા સાબિત કરવામાં આવી છે.
ધ્વનિઓ શબ્દને અભિવ્યક્ત કરે છે એવા મતને ત્રણ રીતે સમજાવવામાં આવે છે : () ઉત્પન્ન થતો ધ્વનિ કણેન્દ્રિયને સંસ્કાર કરે છે અર્થાત્ કણેન્દ્રિયમાં તે ધ્વનિને
ગ્રહણ કરવા ની યોગ્યતા (fitness) પ્રાપ્ત થાય છે. સંસ્કાર પામેલ કર્ણેન્દ્રિય શબ્દની
ઉપલબ્ધિમાં મદદરૂપ થાય છે. (૨) શબ્દ પિતે જ ધ્વનિના સંસર્ગથી સંસ્કાર પામીને બ્રોન્દ્રિયનો વિષય બને છે. (૩) ધ્વનિ કર્ણદ્રિા તેમજ શબ્દ એમ બંનેને સંસ્કાર કરે છે.
અહી સંસ્કાર એટલે ગ્રહણ માટે અસમર્થ એવી શ્રોત્રેન્દ્રિયમાં અગાઉ નહિ પ્રાપ્ત એવા ગ્રહણસામર્થ્યનું પ્રાપ્ત થવું અર્થાત્ ગ્રહણુ માટે યોગ્યતા પ્રાપ્ત થવી.
ઈન્દ્રિયના સંરકાર અગે સૂક્ષ્મતા દર્શાવતાં વૃષભદેવ જણાવે છે કે શ્રેન્દ્રિયમાં જે ગ્રહણસામર્થ્ય ન હતું તેને ધ્વનિએ નવેસરથી પ્રાપ્ત કરાવે છે; અથવા ગ્રહણસામર્થ્ય શ્રેન્દ્રિયમાં અવ્યક્ત હતું, ધ્વનિએ તેને જાગ્રત કરે છે.
બSS '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org