SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ ૨૯ (૩) “ બ્રાહ્મણના અધ્યયનના સૌષ્ઠવ જેવું ક્ષત્રિયને અધ્યયનનું સૌષ્ઠવ છે. અહીં અધ્યયનની પરિસમાત સાધારણ ધર્મ છે. પહેલા ઉદાહરણમાં જે સાધારણ ધર્મ હતો તે બીજા ઉદાહરણમાં ઉપમાન અને ઉપમેય બને છે. અધ્યયન, સૌષ્ઠવ અને પૂર્ણતા વાસ્તવમાં અધ્યયનનાં જ અંગે હોઈ એક હોવા છતાં તેમને જુદાં સમજવામાં આવ્યાં છે. तत्र ब्राह्मणवदधीते क्षत्रिय इत्युपमेये श्रयमाणं सामान्यमुपमानेऽपि प्रतीयते । यदा तु ब्राह्मणा. ध्ययनेन तुल्यं क्षत्रियाध्ययनमित्यध्येतारौ उपमानोपमेययोः संबन्धित्वेनोपादीयेते तदाध्ययनयोराશ્રાવિશેષમિનનયો: ઝવય ધમાંઃ સાધા૨ાન પ્રતીકસે –સ્વવત્ત અને .મા. ૧, p. ૧૩ ૪. गुणः प्रकर्षहेतुर्यः स्वातन्त्र्येणोपदिश्यते । तस्याश्रिताद् गुणादेव प्रकृष्टत्वं प्रतीयते ॥६५।। (દ્રવ્યમાં) વિશેષતાનું કારણ એ (સફેદ વગેરે) ગુણ જ્યારે સ્વતંત્ર રીતે રજૂ કરવામાં આવે છે ત્યારે તે (દ્રવ્ય)માંની પ્રકૃષ્ણત્વ વિશેષતા તેને આશ્રયે રહેલા બીજા ગુણમાંથી સમજાય છે. (૬૫) ૬૫.૧. “આ વસ્ત્ર વધારે ધોળું છે એ વાક્યમાં વસ્ત્ર દ્રવ્ય છે અને વધારે ધોળું' એવા શબ્દો પ્રકર્ષ અર્થાત વિશિષ્ટતાનું કારણ એવો સફેદ ગુણ દર્શાવે છે. આ વસ્ત્રનું રૂપ વધારે સફેદ છે એમાં સફેદ રંગ ગુણ નહિ પણ દ્રવ્યરૂપે છે. તેમાં પ્રકષ દર્શાવાય છે. આ પ્રકર્ષ સફેદ રંગમાં રહેલ ભાસ્વરત્વ વડે દર્શાવાય છે. तस्याभिधेयभावेन यः शब्दः समवस्थितः । तस्याप्युच्चारणे रूपमन्यत्तस्माद्विविच्यते ॥६६॥ (ઉચ્ચારણ વખતે) અભિધેયરૂપે જે શબ્દ સ્વીકારાયે છે, તેનું જ્યારે ઉચ્ચારણ થાય છે ત્યારે (અભિધેયરૂપે જે હતું તેનાથી જુદું તે (બીજા તેના જેવા શબ્દનું રૂપ સમજાય છે. (૬૬) ૬૬.૧. સૂત્રમાં અગ્નિ શબ્દ અને પ્રયોગ માંનો અગ્નિ શબ્દ વાસડાવમાં તે એક જ છે. બીજી રીતે કહીએ તો સૂત્રસ્થ પ્રત્યાયક શબ્દ અને પ્રયોગને પામેલ પ્રત્યાય શબ્દ એક જ છે. તેમની વચ્ચેનો ભેદ માનસિક ક૯૫ના માત્ર છે. પ્રત્યાયક શબ્દ ઉચ્ચારાતાં પ્રત્યાયને બોધ થાય છે. પરંતુ જયારે આ પ્રત્યાયનું પણ ઉદાહરણ માટે ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે તે પ્રત્યાયક બને છે. તેનું રૂપ જુદું છે એમ ધ્યાનમાં આવે છે प्रासंज्ञिनाभिसंबन्धात्संज्ञा रूपपदार्थिका । . षष्ठथाश्च प्रथमायाश्च निमित्तत्वाय कल्पते ॥६॥ સંજ્ઞા સાથે સંબંધ પામ્યા પહેલાં સંજ્ઞા તેના સ્વરૂપાથ (સાથે જોડાયેલ) હોય છે (અને તેથી) તે ષષ્ઠી અને પ્રથમાનું નિમિત્ત બને છે.૧(૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy