SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વાકષ૫દીય ૫૪ ૧. પ્રયોક્તા કઈ શબ્દવશેષનું ઉચ્ચારણ કરવા માટે પિતાનું મન તે તરફ વાળે અને તેની આજુબાજુ રહેલા બીજા શબ્દો તે શબ્દને જુદા પાડે છે, તે પ્રમાણે શ્રોતા(=અનુગૃહીતા) પણ શબ્દના રૂપના પ્રહણને કારણે જ અર્થ પ્રાપ્ત થતું હોવાથી અનેક વિશેષણોવાળા તે શબ્દ અંગે નિશ્ચય કરે છે. यथैव प्रयोक्ता शब्दविशेषविषयं प्रयत्नमभिपद्यमान: प्रतिशब्द परितः परिच्छिन्नान् शब्दात्मनः संस्पृशन्निव मनः प्रणिधत्ते, तथैव प्रतिरत्तापि शब्दरूपपरिच्छेदाधीनमर्थग्रहणं मन्यमानस्तं तं शब्दं सर्वे: संबन्धिभिः विशेषणेराश्रित संसर्गानुग्रहं निर्धारयति । स्वोपज्ञ अर्थोपसर्जनीभूतानभिधेयेषु केषुचित् । चरितार्थान्परार्थत्वान्न लोकः प्रतिपद्यते ।।५५।। કેટલાક અભિધેયોની બાબતમાં અર્થ અંગે ગૌણ બનેલા (શબ્દને) તેમનું પ્રયેાજન સિદ્ધ થયું હોવાથી, તે બીજા માટે હોઈને, લોક (વ્યવહાર તેમને ક્રિયાના સાધન રૂપે) સ્વીકારતો નથી. (૫૫) ૫૫ ૧. સફેદ ગાયને જે” અને “સફેદ ગાયને ઘાસ નીર' એ બે વાકમાંથી પહેલા વાક્યમાં શકત્વ ગુણનો જોવાની ક્રિયા સાથે સંબંધ છે. સફેદ એ ગાયનું વિશેષણ છે. બીજામાં ગાયને ચાર નીરવાની છે. સફેદ એ ગુણ ક્યા સાથે જોડાયેલ નથી. અહીં સફેદ એ ગાયનું ઉપલક્ષણ છે. સ્વરૂપ તેમજ ક્રિયા એમ બંને સાથે સંબંધવાળા શબ્દોને જગતના વ્યવહારમાં સ્વીકારવામાં આવે છે. અથવસનીમૂનાના એવો પાઠ હરિવૃષભ સૂચવે છે. તેનો અર્થ થશે “કેટલાક અભિધે સંબંધે ચરિતાર્થ હોય અને તેથી ગૌણ બનેલ”. ग्राह्यत्वं ग्राहकत्वं च द्वे शक्ती तेजसो यथा । तथैव सर्वशब्दानामेते पृथगवस्थिते ॥५६॥ જેમ તેજની ગ્રાહ્યત્વ અને ગ્રાહકત્વ એવી બે શક્તિ છે, તેમ બધા શબ્દોની આવી બે શક્તિઓ જુદી રહેલી છે. (૫૬) ૫૬.૧. પ્રકાશ નેત્રના સહકારથી ઘટાદિ દ્રવ્યોને પ્રગટ કરે છે. ઘટાદિનું ગ્રાહક એવું તેજ પિતાનું પણ પ્ર હક બને છે, અર્થાત્ તેજ ઘટાદિનું જ્ઞાન કરાવવાની સાથે જ પોતાને પણ પ્રગટ કરે છે. તેજની જેમ શબ્દ પણ પિતાને પ્રગટ કરવાની સાથે સાથે તે શબ્દવાચ્ય અથ (દ્રવ્ય)ને પણ પ્રગટ કરે છે. विषयत्वमनापन्नैः शब्दैर्नार्थः प्रकाश्यते । न सत्तयैव तेऽर्थानामगृहीताः प्रकाशकाः ।।५७।। अतोऽनितिरूपत्वात्किमाहेत्यभिधीयते । नेन्द्रियाणां प्रकाश्येर्थे स्वरूपं गृह्यते तथा ॥५८।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy