SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વાકષ૫દીય કોઈક અથને ધ્યાનમાં રાખીને ઉચ્ચારણસ્થાનો દ્વારા તે ઉદય પામે છે. ઉચ્ચારણસ્થાને માંથી ઉત્પન્ન થયેલા તેને ધ્વનિ કહીશું. આ ધ્વનિ પરમાણુરૂપ હોય છે. આકાશમાં છૂટાં છૂટાં સૂમ વાદળે એકઠાં થઈ એક સ્થળ મેઘસમૂહ ઉત્પન્ન થાય છે તેમ સૂક્ષ્મ પરમાણુરૂપ ધ્વનિઓ નાદરૂપે પરિણામ પામે છે. આ નાદ સભાગ અને સક્રમ છે, તેથી તેના વડે વ્યક્ત થતું અર્થરૂપ પણ, વાસ્તવમાં નિભંગ હોવા છતાં સક્રમ અને સભાગ ભાસે છે અહીં શબ્દ એટલે અર્થધ કરાવનાર તત્ત્વ. ધ્વનિઓ સર્વવ્યાપી અને પરમાણુરૂપ હોય છે. કરણના ઉચ્ચારણસ્થાને સાથેના સંયોગવિભાગથી આ સૂક્ષ્મ ધ્વનિપરમાણુઓ ધૂળરૂપ ધારણ કરે છે. તેમને નાદ કહીશું. नादस्य क्रमजातत्वान्न पूर्वो न परश्च सः । अक्रमः क्रमरूपेण भेदवानिव जायते ।।४९।। નાદની ઉત્પત્તિ ક્રમ પ્રમાણે થતી હોવાને કારણે, પૂર્વ નહિ તેમ પર નહિ એવો અને ક્રમ વિનાને તે (શબ્દ), ક્રમવાળો અને ભેદવાળો હોય તેમ વ્યક્ત થાય છે. (૪૯) પ્રસિવિશ્વે થથાવત્ર થિતં તોગથિયાવરાત ! तत्प्रवृत्तिमिवान्वेति स धर्मः स्फोटनादयोः ॥५०॥ જેમ બીજે (અર્થાત જળમાં રહેલું પ્રતિબિંબ જળની ક્રિયા (=હલનચલન)ને કારણે જાણે તે ક્રિયાને અનુસરતું (=હલનચલનવાળું) હોય તેમ દેખાય છે, તે ફેટ અને નાદ વચ્ચેનો સંબંધ છે. (૫૦) ૫૦.૧. સ્વોપલ્લવૃત્તિ સૂક્ષ્મ ચર્ચા કરતાં જણાવે છે કે જળ અને તેમાંના આપણું મુખના પ્રતિબિંબને ત્રણ રીતે સમજી શકાય : (૧) જળ અને પ્રતિબિંબ જુદાં નથી, (૨) બંને જુદાં છે અને પ્રતિબિંબનું ઉપાદાનકારણ જળ છે. (૩) જળ જેવા ભાસ્કર પદાથ માંથી પાછાં ફરતાં કિરણે જળમાં મુખ જુએ છે. વાયુ સાથે તેને સંગ ન હોવાથી પ્રતિબિંબ નિરિક્ય રહે છે. આ ત્રણેય મતનો નિષ્કર્ષ એટલો જ છે કે જળની ક્રિયાને કારણે મુખપ્રતિબિંબ ક્રિયાવાન ભાસે છે, તેમ વૈકૃત ધ્વનિઓની સમતા કે સભાગતને કારણે ફેટ સક્રમ અને સભાગ ભાસે છે. आत्मरूपं यथा ज्ञाने ज्ञेयरूपश्च दृश्यते । अर्थरूपं तथा शब्दे स्वरूपञ्च प्रकाशते ।।५।। જેમ જ્ઞાનમાં તેનું પોતાનું રૂપ અને રેયનું રૂપ દેખાય છે તેમ શબ્દમાં પદાર્થનું રૂપ અને તેનુ પિતાનું રૂપ વ્યક્ત થાય છે. (૫૧) ૫૧.૧. જ્ઞાન 3ય (=દ્રવ્ય) ઉપર આધૂત છે કારણકે તે યનું પ્રકાશક છે. જ્ઞાન જેમ સ્વરૂપ અને વિષયરૂપનું પ્રકાશક છે તેમ શબ્દ અર્થ અને સ્વરૂપનો પ્રકાશક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy