SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય૫રીય प्रचये भिद्यमाने तु संख्या पूलेषु भिद्यते । अर्थभेदो लुबन्तेषु नैव कश्चन दृश्यते ॥५९८॥ જ્યારે સમૂહો અનેક હોય ત્યારે પૂળાઓની સંખ્યા પણ જુદી જુદી હોય છે. લુબખ્ત શબ્દો (એક ઉપમાન દર્શાવતા હોય કે અનેક દર્શાવતા હોય પરંતુ) તેમના અર્થમાં કશે ફેરફાર પ્રાપ્ત થતું નથી. (૫૯) ઉપરની બાબત અંગે આ કારિકામાં શંકા ઉઠાવવામાં આવી છે. શ્વપૂરી જેવા દ્વિગુ સમાસમાંથી પાંચ પૂળા એ અર્થ પ્રાપ્ત થાય છે. વિશ્વશૂન્યમાંથી આવો અર્થ પ્રાપ્ત થતો નથી. શ્વપૂલ્ય: એકશેષ છે, ક્વપૂત્રી હિંગુ છે. પ્રસ્તુત વિચારના ઉદાહરણ તરીકે જેને ઉલ્લેખ છે તે જગ્યા ને આ સ્થિતિ લાગુ પડશે નહિ. વરવાની પ્રતિકૃતિ અંગે એક ઉપમાન માને કે અનેક માનો, અર્થમાં કશે ફેરફાર જણાતા નથી. તેથી દાવાદમાં યુક્તવભાવ થઈને જાણ્ય: એવું એકવચન થશે. આનો જવાબ નીચે પ્રમાણે આપી શકાય. જે દરેક પ્રતિકૃતિને ઉપમાન માનીએ અને એકશેષ દારા શ્યા: ' એવું બહુવચન પ્રાપ્ત થતાં હોય તે દરેક પ્રતિક કહેવું પડશે. પરંતુ જે અનેક પ્રતિકૃતિઓ માટે એક જ ઉપમાન સમજવાનું હોય તે એક જ જાગ્યાઃ બધાને માટે ઉપમાન થશે. અહીં લુબખ્ત શબ્દ જ બહુવચન પ્રાપ્ત કરે છે. તેથી યુક્તવદૂભાવ પ્રાપ્ત થઈ શકે અને સાચ: એવું એકવચન પ્રાપ્ત થાય. પરિણામે થવા: પ્રવેગને એકશેષ તરીકે સિદ્ધ કરવાને બદલે કોઈ બીજી રીતે સિદ્ધ કરવો પડશે. येषूपमेयवचनः शब्दोऽन्यो न प्रयुज्यते । उपमानस्य तत्रान्यः संख्याया भेद इष्यते ॥५९९॥ જ્યાં ઉપમેયવાચક બીજા શબ્દને પ્રવેશ થતો નથી. ત્યાં બીજા વૈયાકરણોના મતમાં, જુદાં જુદાં ઉપમાને સમજવામાં આવે છે. (૫૯૯) यथा गुडतिलादीनां प्रयोगादेकसंख्यता । पाकादेरप्रयोगे तु भिन्ना संख्याभिधीयते ॥६००। જેમ (પાકમાં ઉપયેગી) ગોળ, તલ વગેરે દર્શાવતા (જુદા) શબ્દોના વપરાશથી પાકનું એકત્વ સમજવામાં આવે છે, પરંતુ પાક વગેરે શબ્દ ન વાપર્યા હોય તે જુદી જુદી સંખ્યાઓ સમજવામાં આવે છે. (૬૦૦). ગુરતિષ્ઠતાનાં વા ! (ગાળ, તલ અને ચેખાનો પાક), તાત્ર: વારેવુ રમૂવ રામ: | (પલાશમાં લાલ રંગ થયે) વગેરે પ્રયોગોમાં પાકની સામગ્રીરૂપ પદાર્થો અને લાલ રંગના આશ્રયો અનેક હોવા છતાં, પાક અને રાગ અંગે એકવ સંખ્યાનો ખ્યાલ આવે છે. સામગ્રીરૂપ ગોળ, તલ વગેરે પદાર્થોને અને પલાશાનો પ્રયાગ થયો ન હોય અને માત્ર પાક કે રાગ એવા શબ્દો જ વપરાયા હોય ત્યારે પાકકાર્ય કે લાલ રંગનું પ્રસારણ એક દ્રવ્ય સાથે સંબંધમાં છે કે અનેકમાં એવી શંકા થાય છે. આવી શંકા દૂર કરવા પા; પાછી: વાઃ એવા પ્રાગે કરવા પડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy