________________
બીજુ કાંડ
૬૧૭,
સદશ્ય અથ પ્રધાનપણે સમજાય છે અને તેની સાથે ષડી વાપરવી જોઈએ. આ ષડીમાં સપ્તમીના અંતર્ભાવ થતો હોવાથી તત્ર સર્ચવા સૂત્રમાં સત્ર શબ્દથી જણાવવામાં આવેલી સપ્તમી સાપકરૂપે છે, અર્થાત જેમ વ સાથે ષડી વાપરવામાં આવે છે તેમ બાહ્ય નિમિત્તના અનુસંધાનમાં સપ્તમી વાપરવામાં આવે છે.
यदि तु व्यतिरेकेण विषयेऽस्मिन्विभक्तयः ।
प्रवतरंस्तृतीयैव व्यभिचार प्रदर्शयन् ॥५४९॥ આ (ાવના અર્થની બાબતમાં બીજી વિભક્તિ (કેઈક બાહ્ય સંબંધીને કારણે), પિતાના વિષયથી જુદી રીતે પ્રવૃત્તિ કરતી હોય તે તૃતીયા વિભક્તિ પણ તેના વિષય અંગે બીજી વિભક્તિ એથી ભિન્નતા દર્શાવશે. (૫૪૯)
व्यभिचारे तथा सिद्ध सप्तमीप्रहणाद् विना ।
सप्तम्येवोच्यते सर्वा न सन्त्यन्या विभक्तयः ॥५५०॥ આ પ્રમાણે (તૃતીયાની અનુવૃત્તિ)ને કારણે, સપ્તમીનું ગ્રહણ કર્યા વિના (જ વિભક્તિઓનું તેમના વિષથી) અપસરણ સિદ્ધ થાય છે, (પરંતુ, સપ્તમીનું ગ્રહણ થાય છે અને બીજી વિભક્તિ પ્રાપ્ત થતી નથી. (૫૫૦).
સૈન તુચં૦ | માંની તૃતીયા વિભક્તિની અનુવૃત્તિને કારણે, સપ્તમીના ગ્રહણ વિના જ, બધી વિભક્તિઓ પિતાના વિષાથી દૂર જાય છે, પરંતુ તત્ર તળેવ સત્રમાં સપ્તમીનું ગ્રહણ થયું છે, બીજી વિભક્તિનું પ્રહણ થયું નથી..
अत्यन्तमत्र विषये सप्तम्या ज्ञापनार्थया ।
बाधिता विनिवर्तेत षष्ठी सा गृह्यते पुनः ॥५५१॥ (વિના અર્થની) બાબતમાં (પ્રાપ્ત ન થનારી પરંતુ પછીના સૂત્રમાં નિર્દેશ પામેલી, તેથી) જ્ઞાપનના અર્થમાં પ્રાપ્ત થતી સપ્તમી વડે પૂરેપૂરી બાધિત થયેલી. ષષ્ઠીને તે ફરીવાર પ્રાપ્ત થાય એટલા માટે ઉલેખવામાં આવી છે. (૫૫૧)
તત્ર તવ સૂત્રમાં જે તત્ર દ્વારા સૂચવાતી સપ્તમી છે તેના અર્થમાં ષષ્ઠીને અર્થ આવી જતો હોવાથી ષષ્ઠીનું વિધાન કરવું જોઈએ નહિ, એવી શંકાને દૂર કરનારી આ કારિકા છે. સપ્તમીના અર્થમાં હa ને પ્રયોગ થતો નથી; પરંતુ સૂત્રમાં તેનો ઉલ્લેખ થયે છે તેથી ઝાપક બને છે. હવે જે સપ્તમીમાં ષષ્ઠીને અંતર્ભાવ થતો હોય તે જ્યાં સપ્તમી ન હોય ત્યાં ષષ્ઠ પશુ પ્રાપ્ત થશે નહિ. પરંતુ ય સાથે તો કઠીને પ્રયોગ આવશ્યક છે, તેથી તેને સ્વતંત્ર ઉલ્લેખ કરવો જોઈએ. ષષ્ઠીનો ઉલ્લેખ જે થાય તો અધિકરણના અર્થમાં પ્રાપ્ત થતી સપ્તમી, જેનો ઉલ્લેખ થયો જ છે તે શેષનો અર્થ પણ દર્શાવશે. વા-૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org