SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૬ વાયુપીય इवशब्देन संबन्धे न तृतीया विधीयते । प्रकृतां तामतस्त्यक्त्वा विभक्त्यन्तरमाश्रितम् ॥५४७॥ સુત્ર શબ્દ સાથેના સંબંધ અંગે તૃતીયા(ના વપરાશ)નું વિધાન થયું નથી. તેથી તે પ્રસ્તુતને ત્યાગ કરીને બીજી વિભક્તિના પ્રયોગને આશ્રય કરવામાં આવ્યું છે. (૫૪૭) सप्तम्यपि न तत्रास्ति ज्ञापनार्था तु सा कृता । इष्टा सा शेषविषये नियतासु विभक्तिषु ॥५४८।। સપ્તમી(નું વિધાન) પણ ાં કરવામાં આવ્યું નથી. જ્ઞાપન માટે તેનું વિધાન થયું છે. બીજી વિભક્તિઓનું તેમના અર્થોમાં વિધાન થયું છે, પરંતુ શેષ (સંબંધના સંદર્ભમાં તેને ઈટ માનવામાં આવી છે (૫૪૮) ga શબ્દ સાથેના સંબંધમાં શેષના અનુલક્ષમાં તૃતીયાની જેમ સપ્તમીનું વિધાન કરવામાં આવ્યું નથી. હવે જે આવી સપ્તમીનું વિધાન થયું ન હોય તે તત્ર તવા (૫-૧-૧૬) સત્રમાં તંત્ર શબ્દથી સમ્યન્તનું ગ્રહણ શા માટે કરવું એવી શંકાના જવાબમાં આ કારિકા રજૂ કરવામાં આવી છે. બાહ્ય સંબંધને કારણે પ્રાપ્ત થતા વ્યતિરેકને ષષ્ઠી દર્શાવે છે, તેથી તૃતીયાની જેમ સપ્તમીને પણ અહીં સંદર્ભ નથી. આમ હોય તો સપ્તમીનો ઉપયોગ થવો જોઈએ નહિ. અહીં એવી શંકા કરી શકાય કે ષષ્ઠી સાથે સામર્થ્ય વાળા શબદકાયને સપ્તમીના અર્થ સાથે સંબંધ નથી, કારણ કે ષષ્ઠીનો અર્થ શેષ છે અને સપ્તમીનો અર્થ અધિકરણ અર્થાત્ આધાર છે. શેષ અને સાધનની એક સાથે વિવક્ષા યંગ્ય નથી, કારણ કે બને વિરોધી છે. આ કારિકામાં આવી શંકાનો જવાબમાં આપવામાં આવે છે. ષષ્ઠી સાથે સંબંધ ધરાવતા વતિ પ્રત્યય સાથેના વ્યાકરણકાર્યમાં ચોક્કસ વિભક્તિનો ખ્યાલ આવતો નથી. માત્ર ઉપમાન પ્રમેયભાવ અથત સંબંધસામાન્યનો ખ્યાલ આવે છે. આવા સંબંધસામાન્યમાં બધા સંબંધવિશેષ સમાઈ જતા હોવાથી સપ્તમ્યન્ત ઉપમેય ગ્ય ઠરે છે. આમ થતાં અધિકરણની વિવલા થતાં ઉપમાનમાં પણ અધિકરણત્વ પ્રાપ્ત થશે. પ્રકૃત્યર્થ અર્થાત્ ઉપમાનને અર્થ વતિના અર્થને ગીણ ભાવે છે. તેથી ઉપમેય દ્વારા તેના અર્થવિશેષને બાધ થશે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ઉપમાન અંગે જે શંકા હોય તે ઉપમેય દ્વારા દૂર થાય છે. હવે આ રીતે વિચારીએ તો તુને સપ્તમી સાથે સમર્થ એવા પદ સાથે વાપરો જોઈએ નહિ. તેમ છતાં તેવા વપરાશનું વિધાન થયું છે. આનું કારણ એ છે કે મતુબન્ત શબ્દને પ્રધાન અર્થ ષડીને અથવા સપ્તમીન છે; જેમ કે, વૃક્ષવાનું વતઃ માં આધારાધેયભાવ પ્રાપ્ત છે. વતિના વપરાશ વખતે પ્રકૃતિનો અર્થ ગૌણ હોવાથી પ્રત્યયન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy