SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વાક૫ડીય ૪૦.૧. સામાન્ય માનવીઓના મનમાં શાસ્ત્રોએ નક્કી કરી આપેલી પાપપુણ્યની વ્યવસ્થા કરતાં શિષ્ટએ નક્કી કરેલી પાપપુણ્યવ્યવસ્થા વધારે મહત્વની હોય છે. પરિણામે ઋષિઓનું અનીત અને અનાગત વિષેનું જ્ઞાન અને અતીન્દ્રિય તથા અસંવેદ્ય વિષયે અંગેનું આર્ષજ્ઞાન પ્રમાણભૂત છે. તેની સાથે જે અનુમાનનો વિરોધ આવે તે અનુમાનનો ત્યાગ કરે. અનેક દર્શનગ્રંથમાં અને સમૃતિગ્રંથમાં પ્રાપ્ત થતી આ કારિકા મોઢવાતિમાં (લોક ૩, મીમાંસાસુત્ર ૧.૧.૧, 9 ૨૦૬) અને ન્યાયમૂંગરી (g. ૨૫૧માં પારાશર્ય વ્યાસને નામે પ્રાપ્ત થાય છે. વાર્તાના ટીકાકારો ઉપેક અને પાર્થસારથિમિશ્રને તથા અભિનવગુપ્તનો (શ્વર ત્રત્યfમજ્ઞાવિકૃતિવિમીિની રૂ. ૧૦૨) પણ આવો મત છે. aોવજ્ઞમાં આ કારિકા ઉપર સિદ્ધાન્તચર્ચા કે વ્યાખ્યાન પ્રાપ્ત થતાં નથી પરંતુ તેને બદલે “પ્રત્યક્ષ અને આપજ્ઞાન અનુમાનનું બાધક બને છે” એટલા શબ્દો છે. चैतन्यमिव यश्चायमविच्छेदेन वर्तते । आगमस्तमुपासीनो हेतुवादैर्न बाध्यते ॥४१॥ ચૈતન્યની જેમ અખંડપણે રહેલે આ જે આગમ છે, તેને અનુસરનાર તર્કવાદથી વિચલિત થતો નથી. (૪૧) ૪૧.૧. કાર્યાકાય બાબતે, ભક્ષ્યાભઢ્ય અન્ન અને ગમ્યાગમ્ય સ્ત્રીઓ અંગેનાં આગમવચનોને જુદા જુદા સંપ્રદાયના તાર્કિકે પણ ઉલ્લંઘતા નથી. આમ શિષ્ટ વડે અનુસરાયેલ માગને સ્વીકારનાર વ્યક્તિ કેઈ પણ પ્રકારના તાર્કિક પ્રવાદની અસર નીચે ન્યાય માર્ગથી વિચલિત બનતી નથી, અને જગતમાં અનિન્દ રહે છે. हस्तस्पर्शादिवान्धेन विषमे पथि धावता । अनुमानप्रधानेन विनिपातो न दुर्लभः ॥४२॥ હાથ વડે સ્પર્શ કરતાં કરતાં દુગમ માર્ગે ચાલતા આંધની જેમ અનુમાનને જ મહત્ત્વનું માનનાર માટે વિનિપાત દુર્લભ નથી. (૪૨) ૪૨.૧. નાગાર્જુન (ઈ.સ. ૧૫૦ આસપાસ)ની મૂઝમઝમરાના ટીકાકાર ભવ્ય (ઈ.સ. ૬૦૦ આસપાસ) તેમની પ્રજ્ઞા પ્રવૃત્તિમાં આ કારિકાને અવતારે છે. ભવ્યના ટીકાકાર અવલોકિતવ્રત આ કારિકાને ભર્તુહરિની રચના જણાવે છે. तस्मादकृतकं शास्त्र स्मृतिं च सनिबन्धनाम् । आश्रित्यारभ्यते शिष्टैः साधुत्वविषया स्मृतिः ॥४३॥ તેથી અપૌરુષેય (આમ્નાયરૂપ) શાસ્ત્ર અને (શિષ્ટ પરંપરા વડે સ્વીકાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy