SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ જેમનામાં (જ્ઞાનરૂપી) પ્રકાશ પ્રગટ થયા છે અને જેમનાં મન (અજ્ઞાનરૂપી અંધકારથી ) ઘેરાયેલાં નથી તેવા (ગીઓ)નું જ્ઞાન પ્રત્યક્ષથી કઈ રીતે જુદુ પડતું નથી. (૩૭) ૩૭.૧. ઈન્દ્રિયાર્થસંનિકર્ષથી પ્રાપ્ત થતું લૌકિક પ્રત્યક્ષ અલૌકિક પ્રત્યક્ષથી જ છે. અલૌકિક પ્રત્યક્ષને અદષ્ટજન્ય જ્ઞાન અથવા યોગીજ્ઞાન કહી શકાશે. તપ વડે દેને ક્ષીણ કરીને અને અપરિમિત જ્ઞાન પ્રાપ્ત કરીને શિષ્ટો બધું આપનેત્રથી સર્વત્ર સ્પષ્ટ જુએ છે. અભ્યાસજ્ઞાન આ બંને જ્ઞાનથી ભિન્ન છે. ___अथ च तपसा निर्दग्धदोषा निरावरणख्यातयः शिष्टाः प्रतिबिम्बकल्पेन प्रत्यक्षमिव स्वासु ख्यातिषु संक्रान्ताकारपरिग्रहमव्यभिचरितं सर्व पश्यन्ति ।-स्वोपज्ञ अतीन्द्रियानसंवेद्यान्पश्यन्त्यारेण चक्षुषा । ये भावान्वचन तेषां नानुमानेन बाध्यते ॥३८॥ જે (ગીઓ) ઈન્દ્રિયો વડે અગ્રાહ્ય અને (મન વડે) અજ્ઞાત ભાવોને આ દર્શનથી જુએ છે તેમનાં વચનોનો અનુમાન વડે બાધ કરી શકાતો નથી. (૩૮) ૩૮. ૧. આદિત્ય, પ્રહ, ચન્દ્ર, નક્ષત્રો વગેરેના પ્રવર્તક અતન્યમી, જગદુત્પત્તિ માટે જવાબદાર ચાર પ્રકારનાં પરમાણુઓ, શબ્દબ્રહ્મ, (વાયુ, સૂર્ય, અગ્નિ જેવા ) મૂર્તી અને ઇન્દ્રાદિ અમૂત દેવ, સૂક્ષ્મ શરીર વગેરેને યોગીઓ આર્ષજ્ઞાનથી નિહાળે છે. અગાઉ કદી નહિ જોયેલા રંગને અંધ પણ ઓળખે છે. આ બધું આનુમાનિક નથી. यो यस्य स्वमिव ज्ञान दर्शनं नातिशङ्गकते। स्थितं प्रत्यक्षपक्षे तं कथमन्यो निवर्तयेत् ॥३९॥ (શિષ્ટોનું અનુસરણ કરનાર) જે વ્યક્તિ પોતાના પ્રત્યક્ષની જેમ જેના (પ્રત્યક્ષરૂ૫) જ્ઞાન વિષે શંકા કરતો નથી, તેને, પ્રત્યક્ષ પક્ષમાં સ્થિર રહેલાને, (અનુમાનનો આશ્રય કરનાર) બીજે કઈ કેવી રીતે દૂર કરી શકે ? (૩૯) ૩૯.૧. જેમ આગમરૂપ શિષ્ટ વચનોને તકથી બાધ કરી શકાતું નથી તેમ શિષ્ટવચન પ્રમાણે પ્રવૃત્ત થનાર વ્યક્તિનાં વચનનો પણ તે શિષ્ટાનુસારી હોવાથી બાધ કરી શકાતો નથી. इदं पुण्यमिदं पापमित्येतस्मिन्पदद्वये । आचण्डालमनुष्याणामल्पं शास्त्रप्रयोजनम् ॥४०॥ આ પુણ્ય (છે) કે આ પાપ (છે) એવા બે (અર્થવાન ) શબ્દોમાં ચાંડાલ સુધી, મનુષ્યને, શાસ્ત્રનું પ્રયોજન અલ્પ હોય છે. ૧ (૪૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy