________________
૬૩૮
વાક ચાંચ
જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી તે (બધાને ) શબ્દાર્થ રૂપે સમજવામાં આવે છે. (૪૭૩)
संसृष्टाः प्रत्ययेष्वर्थाः सर्व एवोपकारिणः ।
तेषां प्रत्ययरूपेण सर्वेषां शब्दवाच्यता ॥४७४॥ જ્ઞાનમાં મદદરૂપ સઘળા અર્થો એકબીજા સાથે સંબંધમાં રહેલા હોય છે. તેથી શબ્દ, જ્ઞાનસ્વરૂપે રહેલા તે સર્વને વાચક બને છે. (૪૭૪)
केवलानां तु भावानां न रूपमवधार्यते ।
अनिरूपितरूपेषु तेषु शब्दो न वर्तते ॥४७५॥ (કેઈ ઉપાધિ વિનાના) એકલા પદાર્થનું સ્વરૂપ સમજી શકાતું નથી (અને) શબ્દ, જેમનું સ્વરૂપ જણાતું ન હોય તેવા પદાર્થોને વાચક બનતો નથી. (૪૭૫)
पूर्वशब्दप्रयोगाच्च समूहान्न निवर्तते ।
वर्ततेऽवयवे नापि नोपात्तं त्यजति क्वचित् ॥४७६॥ પૂર્વ શબ્દના પ્રયોગને કારણે (પંચાય) શબ્દ, સમુદાયનું અભિધાન કરવાથી નિવૃત્ત થતો નથી અથવા અવયવનું પણ અભિધાન કરતો નથી. નિશ્ચિત બનેલા (સમુદાય)નો પણ તે ત્યાગ કરતા નથી. (૪૭૬).
સેન તુ ૦ | સૂત્ર ઉપરના ભાગ્યમાં ભાષ્યકારે જણાવ્યું છે કે સમુદાયના વાચક બનેલા શબ્દો અવયવોના પણ વાચક અને છે, જેમકે પૂર્વ પંચાલ દેશ. (સરખાવો, સમુદાજુ ૨ રાજા વૃતા: અવયવ વર્તનતે યથા પૂર્વે વળ્યા : 1) પરંતુ એવી શ કા કરી શકાય કે શબ્દાર્થસંબંધ નિત્ય હોવાને કારણે વિશ્વાસ શબ્દ, તેની સાથે પૂર્વ શબ્દને પ્રયોગ થયો હોવાથી તેના સમુદાયરૂ૫ અર્થને ત્યાગ કરશે નહિ, એટલું જ નહિ, પરંતુ, અવયવને અર્થ પણ દર્શાવશે નહિ. નિયત અર્થનો ત્યાગ અને નવીન અર્થનો સ્વીકાર, શબ્દ અંગે સ્વીકાર્ય બનતાં નથી.
समुदायाभिधायी च यदि भेदं विशेषयेत् ।
तत्रातुल्यविभक्तित्वं पूर्वकायादिवद् भवेत् ॥४७७॥ સમુદાયનું અભિધાન કરનારે (પંચાલ) શબ્દ જે અવયવને નિશ્ચય કરાવે તે પૂર્વવા વગેરે (પ્રયોગો)ની જેમ સમાન વિભક્તિ પ્રાપ્ત થશે નહિ. (૪૭૭)
પંચાલદેશ એક હોવાને કારણે પૂર્વ શબ્દ વંચાયાઃ શબ્દમાં કશી વિશેષતા દર્શાવી શકતો નથી. હવે જે પશ્વાત્રા: શબ્દનો પૂર્વે સાથે સંબંધ હોવાથી તે અવયવનો વાચક બનશે તો પૂર્વ ધાયન્સ ! પ્રયોગની જેમ પશ્વાત્રાનાં પૂર્વ ! એવી ષષ્ઠી વિભક્તિ કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org