________________
घविधौ यच्च संज्ञायामिति सूत्र उदाहृतम् ।
उपादानं प्रयोगेषु तस्यात्यन्तं न विद्यते ॥४६९॥ ઘ પ્રત્યયનું વિધાન કરનારા સૂત્રમાં જે સંજ્ઞાવાન્ ! એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, તેનું પ્રાગમાં ઉચ્ચારણ બિલકુલ થતું નથી. (૪૬૯)
પુસિ સંજ્ઞાયાં : વાળ (૩.૩.૧૧૮, પુલિંગની વિવેક્ષા હોય ત્યારે સંજ્ઞાશબ્દોમાં પ્રાયઃ ધાતુને ઘ પ્રત્યય લાગે છે.) સૂત્રમાં સંજ્ઞાવાન્ શબ્દ ઉપાધિ દર્શાવવા માટે વપરાય છે. પરત પ્રયોગમાં તેનો ઉલ્લેખ મળતો નથી, કારણ કે, પ્રકૃતિ અને પ્રત્યયના સમુદાયને સંજ્ઞા કહી શકાય છે. એ પ્રમાણે વિગ્રહવાકયમાં ક્રિયા શબ્દનો પ્રયોગ થતો નથી, કારણ કે, ઉપમેયમાં પ્રાપ્ત થનાર તેને, સામર્થ્યને કારણે સમજવામાં આવે છે.
यैरप्रयुक्तैः संस्कारः प्रधानेषु प्रतीयते ।
ते भेदेऽपि विभक्तीनां निर्दिश्यन्त उपाधयः ॥४७०॥ ઉલેખ નહિ પામેલી એવી જે ઉપાધિઓ) વડે મુખ્ય (અ)માં (પ્રકર્ષરૂપ) સંસ્કાર જણાવાતું હોય તે ઉપાધિઓ જુદી વિભક્તિઓ સાથે પણ વપરાય છે. (૪૭૦)
समुदायेषु वर्तन्ते भावानां सहचारिणाम् ।
शब्दास्तत् त्वविवक्षायां समुच्चयविकल्पयोः ॥४७१।। શબ્દ એક સાથે પ્રાપ્ત થતાં લક્ષણોના સમુદાયને બધ કરાવે છે, પરંતુ તે તે સમુચ્ચય અને વિકપની વિવક્ષા ન હોય ત્યારે. (૪૭૧)
પવિત્ર આચાર, ગૌર વર્ણ, પીળા કેશ વગેરે સાથે રહેનારાં લક્ષણેના એક વ્યક્તિરૂ૫ સમુદાયથી તેના વાચક બ્રાહ્મણ વગેરે શબ્દો બને છે. આવા શબ્દો સમુદાયની અવિવક્ષા હાય અર્થાત બ્રાહ્મણના બધા ગુણોને સમુદાય દર્શાવતા ન હોય તો બ્રાહ્મણત્વને બંધ કરાવતા નથી. અમુક ગુણેને બદલે અમુક ગુણો એવો વિક૯પ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ આવા શબ્દ જ્ઞાતિવિશેષના વાચક બનતા નથી.
समुच्चयस्तु क्रियते येषु प्रत्यर्थवृत्तिषु ।
भेदाधिष्ठानया योगस्तेषां भवति संख्यया ॥४७२।। દરેક જુદા અર્થને દર્શાવનારા શબ્દોનો જ્યારે સમુચ્ચય દર્શાવવામાં આવે છે ત્યારે (એકને બીજાથી જુદા દર્શાવતી સંખ્યા સાથે તેમને સંબંધ થાય છે. (૪૭૨
सर्वैर्विशिष्टास्तैरथैर्जन्यन्ते सहचारिभिः ।
बुद्धयः प्रतिपत्तॄणां शब्दार्था स्तानतो विदुः ॥४७३॥ સાથે રહેનારા તે સઘળા અર્થો વડે ચેકસાઈ પ્રાપ્ત કરનારા, શ્રોતાઓનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org