________________
૬૩૪
વાકયપદય
અભિન્ન હોય છે અને માત્ર શાસ્ત્ર પ્રક્રિયા માટે જ તેમાં પ્રકૃતિપ્રત્યાયની કલ્પના કરવામાં આવે છે–ને કેવી રીતે અને કેવા સંદર્ભમાં રજૂ કર્યા છે તે આનંદ તેમજ આશ્ચર્યનો વિષય છે.
विविभक्तिः प्रकृत्यर्थ प्रत्युपाधिः कथं भवेत् ।
विभक्तिपरिणामे च प्रकल्प्य विषयान्तरम् ॥४५९।। વિશેષ્યથી જુદી વિભક્તિવાળા શબ્દ પ્રકૃતિના અર્થ માટે ઉપાધિ કેવી રીતે બની શકે ? વિભક્તિનો ફેરફાર કરવાનો હોય તો (ફેરફાર ને માટે) બીજા કેઈ વિષયની કલ્પના કરવી પડશે. (૪૫૯)
તેન તુચં. સૂત્રમાં તેને એવો તૃતીયાત પ્રકતિશદ વિશેષ્ય છે અને તેથી મુખ્ય છે. તેની સાથે કિયા એવો પ્રથમાન્ત શબ્દ જે તેન થી જુદી વિભક્તિને છે તે ઉપાધિ રૂપે કેવી રીતે યોજી શકાય, કારણ કે બંને વચ્ચે સામાનાધિકરણય નથી. દુરતિનાથ: વશ ! (૩.૨.૨૫) સૂત્ર ઉપરથી તિર: વરુ: | ઉદાહરણ સિદ્ધ થાય છે. આ સૂત્રમાં વારિ તુ સત્રની અનુવૃત્તિ હોવાથી ર્તરિ શબ્દની ઉપાધિ રૂપે વશ શબ્દ છે. બને સમાન અધિકરણમાં છે. તેની સુગં - સત્રમાં ક્રિયાની તૃતીયા વિભક્તિ કરી શકાશે નહિ, કારણ કે, સૂત્રમાંને ક્રિયા શબ્દની વિભક્તિનો ફેરફાર કરવા માટે કઈક બીજા વિષયની ક૯પના કરવી પડશે, જ્યાં આવા ફેરકાર યોગ્ય સમજવામાં આવે. અહી' મીમાંસાના ઊંહના નિયમને લાગૂ પાડી શકાશે નહિ.
विभक्त्यन्तरयोगो हि यस्य तद्विषयान्तरे । विभक्त्यन्तरसंबन्धः सामर्थ्यादनुमीयते ॥४६०॥ सारूप्यात् तु तदेवेदमिति तत्रोपचर्यते ।
शब्दान्तर विभक्त्या तु युक्तं शास्त्रे तदश्रुतम् ॥४६१॥ જે શબ્દ કેઈક વિષયમાં બીજી વિભક્તિમાં પ્રાપ્ત થતું હોય તે શબ્દનો કઈક બીજા વિષયમાં. બીજી વિભક્તિ સાથે સંબંધ, સામર્થ્યને કારણે કલ્પી શકાય છે.
(જુદી) વિભક્તિ સાથે જોડાયેલા બીજા શબ્દ માટે સાદશ્યને કારણે, આ તે જ (શબ્દ) છે એનો અભેદારોપ કરવામાં આવે છે, પરંતુ (વ્યાકરણ) શાસ્ત્રમાં આ બાબત જાણીતી નથી. (૪૬ ૦૪૬૧)
મૂવાયો ધાતવઃ | (.૩.૧, મ વગેરેને ધાતુઓ કહેવાય છે) સત્રમાં વાતd: શબ્દ પ્રથમામાં હોવાથી સત્રનો અર્થ પણ પ્રથમાનો થશે. પરંતુ ગાજિત કારમવાનું ! (૧.૩.૧૨) સત્રમાં ધારવાની અનુવૃત્તિ લાગે છે, પણ ત્યાં તેની પચમી સમજવી પહશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org