SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦ વાયપીચ શનિ તુ: શાય: I (શયનકાર્ય જેવો સૂનાર છે), હૃતન તુ દોતા (યજ્ઞકાર્ય જેવો હોતા છે) જેવા પ્રયોગોમાં કુપ્રત્યય વાળા ક્રિયાવચન સાથે ક્રિયાવાન ની સરખામણું યોગ્ય નથી, કારણ કે, ક્રિયા સાધ્યસ્વભાવ છે અને કર્તા સિદ્ધસ્વભાવ છે. क्रिया समानजातीया तद्भावान्नोपमीयते । जातिभेदेऽपि पाकेन भिन्नाः पाकादयः क्रियाः ॥४४३॥ સરખા સ્વભાવવાળી એક ક્રિયાને, તેની (બીજી) ક્રિયા સાથે એકરૂપતાને કારણે, સરખાવી શકાતી નથી, અથવા ભિન્ન જાતિ વાળી પાક ક્રિયા સાથે પણ સરખાવી શકાતી નથી, કારણ કે પાક વગેરે ક્રિયાઓ એકબીજાથી ભિન્ન હોય છે. (૪૪૩) आधारभेदाद् भिन्नायामुपमानस्य संभवः । अध्येतव्येन विप्राणां तुल्यमध्ययन विशाम् ॥४४४॥ બ્રાહ્મણના અધ્યયનના સરખું ક્ષત્રિયનું અધ્યયન હોય છે, જુદા આધારને કારણે ભિન્ન (એવી ક્રિયામાં) ઓમ્ય સંભવે છે. (૪૪૪) अर्थात्प्रकरणाद् वापि यत्रापेक्ष्य प्रतीयते । सामर्थ्यादनपेक्षस्य तस्य वृत्तिः प्रसज्यते ॥४४५॥ અર્થને કારણે અથવા સંદર્ભને કારણે જેની અપેક્ષા હોય તેને સમજવામાં આવે ત્યારે અપેક્ષા વિનાના તે (ક્રિયાવાચક શબ્દ)ને તેની સાથે સામર્થ્યને કારણે સબંધ પ્રાપ્ત થાય છે. (૪૪૫) तैलपाकेन तुल्ये च घृतपाके विवक्षिते । क्रियावदपि कार्याणां दर्शनात् प्रत्ययो भवेत् ॥४४६॥ ઘીમાં કરેલી રાઈ, તેલમાં કરેલી રાઈની બરાબર છે એમ જ્યારે કહેવાતું હોય ત્યારે ક્રિયાના આશ્રયે રહેલાં બીજાં વ્યાકરણકાર્યો પ્રાપ્ત થતાં હોવાથી ગતિ પ્રત્યય(નેક પ્રયોગો શકય બનશે. (૪૪૬) अतिङ्ग्रहणमेवं तु समासस्य निवर्तकम् । गमन कारकस्येति ण्वुल्यन्यस्मिन्न संभवेत् ॥४४७॥ | (suપત્તિ ૨૧૯ સૂત્રમાં) ગતિ નો ઉલેખ જમન શાસ્ત્ર જેવા સમાસની નિવૃત્તિ માટે છે. સૂત્ર વુઝૂ (૩-૧-૧૩૩) પ્રમાણે પ્રાપ્ત થનારે વૃત્ પ્રત્યય જેને અંતે છે તેવા (ક્રિયાવાચક શબ્દના) સમાસને સંભવ નથી. (૪૪૭). सर्वस्य परिहारार्थ समुदायत्वमाश्रितम् । शुद्धायाः संभवान्न स्यात् क्रियायाः ब्राह्मणादिषु ॥४४८॥ શબ્દો (ગુણ) સમુદાયના વાચક છે, એવો વિચાર) બધા દેના પરિવાર માટે ભાષ્યકારે સ્વીકાર્યો છે, (અન્યથા) શુદ્ધ ક્રિયા દર્શાવતે શબ્દ પ્રાપ્ત થવાને સંભવ હોવાથી, બ્રાહ્મણ વગેરે શબ્દમાં પ્રત્યય લાગશે નહિ (૪૪૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy