SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ વાકયપદય આવું કથન કરવાની જરૂર નથી કારણ કે સ્ત્રીત્વરૂપ અર્થની વિવક્ષા નથી ત્યાં મૃગના દૂધનું જ મહત્વ છે આ મૃગનું દૂધ છે, બીજા કોઈ પ્રાણીનું નથી એમ કહેવાનું તાત્પર્યા છે. મૃગીનું જ દૂધ છે, કારણ કે દૂધ મારામાંથી મળે એવા અર્થની વિવેક્ષા નથી. એ પ્રમાણે મૃાવવા માં મૃગજતિની ઝડપની જ વિવેક્ષા છે, બીજા પ્રાણીની ઝડપને સંદર્ભ નથી, તેથી મૃ દૃઢ પા ને કૃપાપા એવો સમાસ થશે. शस्त्रीव शस्त्रीश्यामेति देवदत्तैव कथ्यते । तस्यामेवोभयं तस्मादुच्यते शास्त्रविग्रहे ॥४२०॥ (ા સુત્ર “છરી જેવી')ના અર્થમાં છરી (રાત્રી) અને રૂવામા (શબ્દ) દેવદત્તાનું જ અભિધાન કરે છે. તેથી શાસ્ત્રીય વિગ્રહ (વાક્ય)માં તે (દેવદત્તા) માટે જ બને ઉલ્લેખ થાય છે એમ ભાષ્યમાં જણાવવામાં આવ્યું છે. (૪૨૦) સામાન્યવચન જે ઉપમાન સાથે સંબંધ ધરાવતું ન હોય તો સમાસ ઉપમેયને અથ દર્શાવે છે એ બાબતનો અગાઉ ઉલ્લેખ થયો. આ ગ્ય છે. રાત્રીમાં સમાસમાં સમાસનાં પદોનો સંબંધ ઉપમેય સાથે જ હોવો જરૂરી છે. શ્યામવ ગુણનો સંબંધ છરી સાથે નહિ પરંતુ છરી જેવી દેવદત્તા સાથે છે. પરિણામે ઉપમેય એવી દેવદત્તા સાથે ઉપમાન અને સામાન્ય વચન એમ બન્નેનો સંબંધ સમજવામાં આવ્યો છે. તેથી સામાનાધિકરણ્યને કારણે મૃગનયના જેવા પ્રયોગમાં પણ પુવ૬ ભાવ સિદ્ધ થશે. તેથી ઉતરવાઝ ચત્તશામેરોમ વર્તતે | ઇતથા વૈધ્રુવક્ષ સ્થાત્ કૃતિ ! એવું મહાભાષ્યકારનું કથન યોગ્ય ઠરે છે. पुंवद्भावस्य सिध्यर्थ पक्षे स्त्रीप्रत्ययस्य च । बबपेक्ष्यमतस्तस्यामुभयप्रतिपादनम् ॥४२१॥ કુંવભાવની સિદ્ધિ માટે અથવા (ઈટ એવા) સ્ત્રી પ્રત્યયની પ્રાપ્તિને અર્થે ઘણી અપેક્ષા રાખવી પડે એ કારણે તે (ઉપમેય)માં (ઉપમાન અને સામાન્યધર્મ એમ) બન્નેનો સંબંધ યોજવામાં આવે છે. (૨૧) જે રાત્રીશ્યામ સમાસમાં સામાન્ય વચન શબ્દ શ્યામા નો ઉપમેય સાથે સંબંધ હોય તો વૈયધિકરણ્ય થશે અને સમાનાધિકરણ સમાસ નહિ થાય. જે ૩૧માનાનિ (૨.૧.૫૫) સૂત્રનિયમના બળથી સમાસ કરે તો, મૃાવવા જેવા પ્રયોગોમાં રવીપૂર્વના નિયમની અપેક્ષા રાખવી પડે. હવે જે શ્યામા શબ્દનો ઉપમાન રાત્રી સાથે સંબંધ ક૯પવામાં આવે તે તિતિવિમાથી પ્રયોગમાં પત્રHવી એવા સ્ત્રી પ્રત્યયના પ્રયોગ માટે સમય સમાસ વિશિષ્ટ રંગને વાચક છે, માત્ર ઉત્તરપદ નહિ, એવું ઠરાવવું પડે અને વળી સ્વરનો પણ દોષ આવે. આમ ઘણી અપેક્ષા રાખવી પડે. તેથી ભાગ્યકારે સામાન્ય વચન શબ્દ શ્યામાને સમાસનાં બને પદો રાત્રી અને શ્યામાને દેવદત્તા એવા ઉપમેય સાથે સંબંધવાળાં જાહેર કર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy