________________
વાંકયપદીય उपमेयात्मनि श्यामो वर्तमानोऽभिधीयते ।
उपमानेष्वनिर्दिष्टः सामर्थ्यात् स प्रतीयते ॥४१५॥ ઉપમેયમાં રહેલા શ્યામ ગુણનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઉપમાનમાં રહેલા તરીકે ઉલ્લેખ પામ્યો ન હોવા છતાં તે (ગુણ)ને સામર્થ્યને કારણે સમજવામાં આવે છે. (૧૫)
શકો ફ4 શ્યામા સેવત્તા એવા વિગ્રહ પ્રમાણે સાધારણું ગુણ ૨૫મના સંબધ ઉપમેય સાથે છે અને તેથી તે શ્યામત્વને પ્રધાન સમજવામાં આવ્યું છે. પરંતુ આમ સમજવામાં આવતાં સામાન્યધર્મની ચોકસાઈ થતી નથી, કારણ કે છરી, લાંબી, અણીદાર અથવા જાડી હોઈ શકે. (પ્રથમfપ મુળsનિટો મવતિ | વવશ્વ શાં મુળાર્તા સૂક્ષના પૃથરિતિ | મહાભાવ)
આવી શંકાનો પરિહાર કરતાં ભાષ્યકારે જણાવ્યું છે કે જે ગુણનો ઉલ્લેખ થયે ન હોય તેને પણ વ્યવહારમાં પરિચય થાય છે. રાત્રી માંના શ્યામવને ઉપમાન દ્વારા જણાવવામાં આવે છે. ઉપમેયમાં બીજા કોઈ વિશિષ્ટ સમાનધર્મની ક૯પના થઈ શકતી નથી. આ સાધારણ ધર્મ ઉપમાન અને ઉપમેય બનેમાં પરસ્પર સાકાંક્ષ હોવાથી અને બન્ને ની નજીક હોવાથી તેને જ સામાન્ય ધર્મ તરીકે સ્વીકારવામાં આવે છે.
द्रव्यमात्रोऽपि निर्दिष्टे चन्द्रवोऽनुगम्यते ।
विशिष्ट एव चन्द्रस्थो गुणो नोपप्लवादयः ।।४१६।। માત્ર ચન્દ્ર અને મુખ એવી બે વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યું હોવા છતાં, ચન્દ્રમાં રહેલા (આહલાદકત્વ રૂપી) વિશિષ્ટ ગુણ (જ) સમજવામાં આવે છે, (તેના મૃગલાંછન, ક્ષય વગેરે) વિકારોને નહિ. (૧૬)
azમુવી (ચા) એવા પ્રયોગમાં ચંદ્ર અને મુખ એવા બે પદાર્થોને જ ઉલ્લેખ છે. સાધારણ ધર્મનો ઉલ્લેખ નથી. છતાં પવહારમાં ચન્દ્ર અને મુખ વચ્ચેને સામાન્ય ધમ પ્રિયદર્શન અર્થાત્ આહૂલાદકતવ તરત જ ખ્યાલમાં આવે છે. ચન્દ્રના વિકાર જેવા કે તેનામાં રહેલ મૃગલાંછન અથવા તેનાં વૃદ્ધિ કે ક્ષયનો વિચાર આવતો નથી. અહી' સામાન્ય ધમનો ઉલ્લેખ નથી છતાં તેને બંધ થાય છે શત્રી યામા ! પ્રયોગમાં શ્યામ ગુણને સહેલાઈથી સામાન્ય ધર્મ રૂપે સમજવામાં આવે છે.
भेदभावनयतच्च समासेऽप्युपवर्ण्यते ।
विशिष्टगुणभिन्नेऽर्थे पदमन्यत् प्रयुज्यते ॥४१७॥ ભિન્નતાના સંસ્કારને કારણે, તે (ભિન્નતા)ને સમા સમાં પણ સમજાવવા માં આવે છે. (શ્યામત્વ રૂપી) વિશિષ્ટ ગુણને કારણે (ઉપમાનથો) જુદા સમજાતા (ઉપમેયરૂ૫) અને દર્શાવવા માટે બીજુ (સમાસરૂપ નિરંશ) પદ પ્રયોજવામાં આવે છે. (૪૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org