SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ. ૩૦, ૧, બધા તત્ત્વજ્ઞો તકને અંતિમ તબકકે પહોંચતાં અનુત્તર બની વસ્તુસ્વભાવને જ બધાનું મૂળ અને અંતિમ કારણ સમજાવે છે. આ સ્વભાવ કેવળ આગઅગમ્ય જ છે. સાધવિધવાળા અને જેમને વિષે કદાપિ નિશ્ચય થઈ શકે નહિ એવા માનવતર્કોમાં કણુ વિશ્વાસ મૂકે? અતીન્દ્રિય જ્ઞાનવાળા અને તર્કતીત અવસ્થાએ પહોંચેલા મહાપુરુષોનાં અસામાન્ય વ્યક્તિત્વ અને લોકોત્તર ગુણો પણ આગમને અનુસરવાથી પ્રાપ્ત થતાં હોય છે. धर्मस्य चाव्यवच्छिन्नाः पन्थानो ये व्यवस्थिताः । न ताल्लोकप्रसिद्धत्वात्कश्चित्तर्केण बाधते ॥३१॥ વિચ્છેદરહિત અને ( શિષ્ટસંમત હેવાથી) નિશ્ચિત બનેલા જે (શ્રતિસ્મૃતિરૂપી) ધર્મના માર્ગો છે તે લોકપ્રસિદ્ધ હેવાથી તર્ક વડે તેમનો કઈ બાધ કરી શકતું નથી.' (૩૧) ૩૧.૧. શિષ્યોના સિદ્ધાન્તોમાં અનેક વિકલ્પ હોવા છતાં કેટલાક સર્વસાધારણ આચરણનિયમે છે, તેમને કેવળ તકે વડે વિરોધ કરી શકાતો નથી. કેટલીક વાર એવું છે કે “કેઈને છોડવી નહિ” (ન વિન વરિત | છાન્દ્રોપનિષદ્ ૨,૧૩) એવા વેદાન્તવચનમાંથી અન્યથા અર્થ (કે ઈપણ પારકી સ્ત્રીને) સમજીને વામમાગ જેવા માર્ગોનું અનુસરણ કરવામાં આવે છે. પરંતુ આવા અનુસરણનો પણ આગમને અનુસરીને વિરોધ કરવામાં આવે છે.. अवस्थादेशकालानां भेदाद्भिन्नासु शक्तिषु ।' भावानामनुमानेन प्रसिद्धिरतिदुर्लभा ॥३२॥ અવસ્થા. દેશ અને કાલની ભિન્નતાને કારણે ભિન શક્તિઓવાળા પદાર્થોના સ્વભાવ વિષે અનુમાન વડે નિશ્ચય કર અત્યંત મુશ્કેલ છે. (૩૨) ૩૨.૧. અવસ્થા, દેશ અને કાલની ભિન્નતાને કારણે સ્વાભાવિક રીતે પદાર્થોની શક્તિઓમાં ફેરફાર થાય છે; જેમકે, પીપર જે લીલી લેવામાં આવે તો કફકારક બને અને સૂકી પીપર ત્રિદોષનું શમન કરે. આ થયો અવસ્થાભેદ. હિમાલયનાં જળ અત્યંત શીતળ હોય છે, વાદળ અને અગ્નિકુંડનાં અથવા લેખંડના પીપમાંનાં જળ એટલાં શીતળ હોતાં નથી. આ દેશભેદ થયો. હેમન્તમાં કૂવાનું પાણું ઉષ્ણ અને ગ્રીષ્મમાં શીતળ હોય છે. આ છે કાલભેદ. (સરખા : શાંતરક્ષિત : તરવસંગ્રહ ૧૪ ૬ ૦, ૧૪ ૬૧ અને રામાણ, ગ્રહ્મસૂત્ર ૨.૧.૧૭; અચંટ વિત્યુટીા વૃ.૧પ૨; અચંટ પ્રસિદ્ધિને બદલે પ્રતીતિ એવો પાઠ આપે છે. नितिशक्तेर्द्रव्यस्य तां तामर्थक्रियां प्रति । વિશિષ્ટદ્રવ્યસંવષે ના શરિર પ્રતિવર્ત પુરૂ રૂા વા-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy