________________
ત્રીજું કાંડ
उपमेये स्थितो धर्मः श्रुतोन्यत्रानुमीयते ।
श्रुतोऽथवोपमानस्थ उपमेयेऽनुमीयते ॥३८४॥ ઉપમેયમાં રહેલું છે એ પ્રમાણે જણાવાતા ધમનું બીજે (ઉપમાનમાં) અનુમાન કરવામાં આવે છે, એથવા ઉપમાનમાં રહે છે એમ જણાવાતા તેનું ઉપમેયમાં અનુમાન કરવામાં આવે છે. (૩૮૪).
अधीयते ब्राह्मणवत् क्षत्रिया इति दृश्यते ।
उपमेयस्य भिन्नत्वात् वचन क्षत्रियाश्रयम् ॥३८५।। ક્ષત્રિ બ્રાહ્મણની જેમ અભ્યાસ કરે છે એવા વાકયમાં ઉપમેય જુદાં જુદાં હેવાથી બહુવચન, ક્ષત્રિય એવા ઉપમેયને આધારે છે. (૩૫)
साधारणं ब्रुवन् धर्म क्वचिदेव व्यवस्थितम् ।
सामान्यवचनः शब्द इति सूत्रेऽपदिश्यते ॥३८६।। (ઉપમાન અથવા ઉપમેય એમ) કઈકમાં રહેલા સાધારણ ધમને જણાવતા શબ્દ, (૩માનાન સાચવજનૈ: ૨.૧.૫૫) સૂત્રમાં સામાન્ય વચન તરીકે ઓળખાય છે. (૩૮ ૬)
ઉપમાન અથવા ઉપમેયમાં ન રહ્યો હોય છતાં સાધારણ ધર્મ ઉપમાન કે ઉપમેય બેમાંથી એકમાં પણ મળતો હોય તે તેનું બીજામાં અનુમાન થતાં તેને સામાન્ય વચન તરીકે ઓળખવામાં આવે છે.
नाभेदेन न भेदेन गुणो द्विष्ठोऽभिधीयते ।
भिन्नयोधर्मयोरेक. श्रूयतेऽन्यः प्रतीयते ॥३८७॥ બનેમાં રહેલ ગુણ અભિન્નપણે કે ભિન્નપણે દર્શાવાતું નથી. બે જુદા ધર્મોમાંથી એકનો શબ્દ દ્વારા ઉલેખ થાય છે અને બીજો સહજપણે પ્રાપ્ત થાય છે. (૩૮૭)
ઉપમાન અને ઉપમેય બન્નેમાં સાધારણ એવો શ્યામ ગુણ શ્યામ શબ્દ વડે અભિન્નપણે દર્શાવાતો નથી, અર્થાત્ તે ઉપમાન અને ઉપમેય બનેમાં સમાન રૂપે નહિ પરંતુ કઈ એકમાં છે એમ જણાવવામાં આવે છે; અર્થાત ઉપમાન કે ઉપમેવમાં પ્રાપ્ત થતો હેય એ શ્યામવ ગુણ સામર્થ્યથી બીજામાં પણ પ્રાપ્ત થાય છે અને તેથી તે સામાન્ય વચન બને છે.
વા-૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org