SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ વાષપદીય અર્થાત્ ઉપમાન અને ઉપમેય સાથે એકાત્મતાને પામે છે ત્યારે તેમને જ ઉલ્લેખ તેમની વચ્ચેના ભેદને આધારે હોય છે. આ સમયે ઉપમાનોપમેયભાવને દર્શાવવા માટે વ વગેરે પદનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી ઉપમા પરિપૂર્ણ બને છે, જેમ કે शस्त्री श्यामा देवदत्ता । गौः इव गवयः । शैला यथा बलाहका: । तत्त्वासङ्गविवक्षायां येषु भेदो निवर्तते । लुप्तोपमानानि तान्याहुस्तद्धर्मेण समाश्रयात् ॥३८१॥ જે વચનમાં અભેદને અધ્યાપ કરવામાં આવે છે અને ભેદ નિવૃત્ત થાય છે તેમને, (ઉપમાનના સાધારણ) ધર્મ વડે (ઉપમેયના ધમન) આશ્રય કરવામાં આવતું હોવાથી લુપ્તો પમાવાચક કહેવામાં આવે છે. (૩૮૧) જ્યારે ઉપમાન અને ઉપમેય વચ્ચે ભેદની નિવૃત્તિ થાય છે ત્યારે ઉપમાનોપમેયભાવ પણ અદષ્ટ થાય છે, જેમકે જોવી. I fઃ માળવ: | જેમ કાય ઉપરથી કારણની કલ્પના થાય છે, તેમ, આવા શબ્દો ઉપરથી સામાન્ય ધર્મની કહપના થાય છે. યાસ્ક અને બીજ આચાર્યો આ ઉદાહરણોને લુપ્તપમાનાં ઉદાહરણ તરીકે સમજાવે છે, કારણ કે તેમની વચ્ચે સમાન ધર્મ લુપ્ત થયો છેસુપ્લાનાં વારિશન સાક્ષારનધાર્યમાળા ૩૫માં પાન ! આ પ્રમાણે હેનારાજ લુતોપમાને સમજાવે છે. शस्त्र्यां प्रसिद्धं श्यामत्वं मान सा तेन मीयते । अभ्या श्यामा तु तद्रूपा तेनात्यन्तं न मीयते ॥३८२।। છરી અંગે જાણીતું શ્યામત્વ માન સમજવામાં આવે છે તેના વડે તે છરીને માપવામાં આવે છે બીજુ (દેવદત્તાનું) શ્યામ તેના જેવું છે, પરંતુ તેના વડે તેનું પૂરેપૂરું માન પ્રાપ્ત થતું નથી. (૩૮૨) સંપૂર્ણ પણે માપનારને માન કહેવામાં આવે છે. આવું માન શાસ્ત્રી અર્થાત છરીમાં રહેલું છે. દેવદત્તાનું શ્યામત્વ શાસ્ત્રીના શ્યામ જેવું નથી, કારણ કે, દેવદત્તા કાળી હવા છતાં, તેનું શ્યામત્વ જાતું નથી. તેથી શસ્ત્રીના શ્યામ વડે તેનું માન સમજવામાં આવે છે. પરંતુ તે પૂરેપૂરુ' માપી શકાતું નથી. માત્ર ગુણની સમાનતાથી કોઈ પદાર્થને પૂરેપૂરો ઓળખી શકાતો નથી. शस्त्री स्वेन गुणेनातो मिमानामाश्रयान्तरम् । असमाप्तगुणं सिद्धरुपमान प्रचक्षते ॥३८३॥ તેથી. પોતાના પ્રસિદ્ધ) ગુણથી પ્રસિદ્ધ ગુણવાળા બીજા આશ્રયને માપનાર (છરી)ને, તેના પરિપૂર્ણ શ્યામત્વ ગુણને કારણે ઉપમાન કહેવાય છે. (૩૮૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy