________________
બીજુ કાંડ
रूपान्तरेण संस्पशो रूपान्तरवतां सताम् । . - भिन्नेन यस्य भेद्यानामुपमान तदुच्यते ॥३७७||
જે પિતાના બીજા વિશિષ્ટ ગુણને કારણે જુદા વિશિષ્ટ ગુણોવાળા (અ ) સાથે સંબંધને પામે છે તેને ઉપમાન કહેવાય છે. (૩૭૭)
ચક્કસ ગુણના આધારરૂપ જે પદાર્થ જતિ, ગુણ ક્રિયા વગેરે માપને કારણે માપવામાં આવ્યો હોય છે, તે પોતાની આવી વિશિષ્ટતા દ્વારા જ બીજા કોઈક પદાર્થની વિશિષ્ટતા દર્શાવવા પ્રવૃત્ત થાય છે, તેને ઉપમાન કહેવાય છે. બીજી કારિકામાં સ્પર્શ ને અર્થ હલારાજે “સંબંધ” કર્યો છે.
धर्मः समानः श्यामादिरुपमानोपमेययोः ।
आश्रीयमाणप्राधान्यो धर्मेणान्येन भिद्यते ।।३७८॥ " ઉપમાન અને ઉપમેયમાં પ્રાપ્ત થતો સમાન ધર્મ (શ્યામ7) જ્યારે પ્રધાન પણે (ઉપમેય રૂ૫) સમજવામાં આવે છે ત્યારે તેના બીજા કોઈક ધર્મ વડે તે જુદે સમજવામાં આવે છે. (૩૭૮)
ઉપમાન અને ઉપમેયમાં રહેલ ચમત્વ ગુણને જયારે મુખ્ય સમજવામાં આવે છે ત્યારે તે દ્રવ્ય જેવો બની રહે છે. ત્યાર બાદ તે તામાં જ રહેલી કઈક વિશિષ્ટતાને કારણે તે ઉપમાનઉપમેયભાવ માટે કારણરૂપ બને છે.
शस्त्रीकुमार्योः सदृशः श्याम इत्येवमाश्रिते ।
व्यपदेश्यमनेनेति निमित्त गुणयोः स्थितम् ॥३७९।। છરી અને કુમારીમાં રહેલ શ્યામત્વ (ગુણ) સમાન છે એમ સ્વીકારવામાં આવે છે ત્યારે આના વડે (ઉપમાનોપમેય) વ્યવહાર થશે એવું (સમજાતુ) કઈક (દીપ્તિ જેવુ) નિમિત્ત તે (શ્યામ) ગુણોમાં રહેલું સમજવામાં આવે છે. (૩૭૯).
यदा निमित्तैस्तद्वन्तो गच्छन्तीव तदात्मताम् ।
भेदाश्रयं तदाख्यानमुपमानोपमेययोः ॥३८०॥ જયારે શ્યામત્વ રૂપ નિમિત્તે રૂપી ગુણે વડે તે ગુણ ધરાવનારાઓ એક રૂપતાને પામે છે ત્યારે ઉપમાન અને ઉપમેય માટે ભેદપૂર્વક ઉલ્લેખ કરવામાં આવે છે. (૩૮૦)
ગુણ અને ગુણી વચ્ચે સામાન્યપણે અભેદ સમજવામાં આવે છે. ઉપમાન અને ઉપમેય વચ્ચેના સંબંધના નિમિત્ત જે શ્યામવુ વગેરે ગુણે છે તે જયારે તેમના નિમિત્તએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org