________________
વાકથપય
गुणानामाश्रयाद् भेदः स्वतो वाप्यनुगम्यते ।
अनिदेश्याद् विशेषाद् वा संस्काराद् वा गुणान्तरैः ॥३७३।। ગુણોની વિશિષ્ટતા તેમના જુદા જુદા આશ્રયને કારણે અથવા તેમના (આશ્રયેના) પિતાના (સ્વભાવ) ને કારણે, અથવા કો ક ન સમજી શકાય તેવા વિશિષ્ટ કારણને લીધે અથવા બીજા ગુણ સાથેના મિશ્રણને કારણે ઉત્પન્ન થાય છે.
(૩૭૩) ગુણોને તેમની વિશિષ્ટતા કેવી રીતે પ્રાપ્ત થાય છે તે અંગે આ કારિકા સ્પષ્ટતા કરે છે. ગુણોની વિશિષ્ટતા તેમને આશ્રયમાં રહેલી કાઈક ખાસિયતને લીધે હોય છે, જેમકે કમળપુછપની લાલાશ અને તમાલમાં રહેલી કાળાશ તેમની પોતાની કઈક વિશિષ્ટતાને લીધે હેય છે. કાઈકવાર ને સમજાવી શકાય તેવા કારણને લીધે તે પ્રાપ્ત થાય છે, જેમકે, સુરાને ઘણે સમય રાખી મૂકવાને કારણે વિશિષ્ટ વાસ અને સ્વાદ પ્રાપ્ત થાય છે. કોઈકવાર જુદા જુદા ગુણોના મિશ્રણથી પણ વિશિષ્ટ ગુણ પ્રાપ્ત થાય છે, જેમકે તેલને માલતી પુપના અર્ક સાથે મેળવવાથી માલતી પુપની વિશિષ્ટ વાસ પ્રાપ્ત થાય છે.
उपमानं प्रसिद्धत्वात्सर्वत्र व्यतिरिच्यते ।
उपमेयत्वमाधिक्ये साम्ये वा न निवर्तते ॥३७४।। પ્રસિદ્ધ હોવાને લીધે ઉપમાન હમેશાં ગુણની ઉત્કૃષ્ટતા દર્શાવે છે, પરંતુ ગુણની અધિકતા કે સરખાપણાને કારણે ઉપમેયની નિવૃત્તિ થતી નથી. (૩૭૪)
अन्यैस्तु मान जात्यादि भेद्यस्यार्थस्य वर्ण्यते ।
अनिज्ञातस्वरूपो हि ज्ञेयोऽर्थस्तेन मीयते ॥३७५।। બીજા આચાર્યો જાતિ વગેરેને, પદાર્થને જુદા સમજવાના માપ તરીકે, સમજાવે છે, કારણ કે જેનું વિશિષ્ટ) રૂપ જાણતું નથી તે જાણવા ચોગ્ય પદાર્થ તેના વડે માપવામાં આવે છે. (૩૭૫)
મહાભાષ્યમાં માનં ને માન દિ નામ મનિસ્તૃતાર્થે મુવાલીયતે, મનિíતમર્થ જ્ઞાસાનીતિ | એ પ્રમાણે સમજાવવામાં આવ્યું છે. આ વ્યાખ્યાને કેટલાક આચાર્યો જુદી રીતે સમજાવે છે.
કેઈ પણ દ્રવ્ય તેની વિશિષ્ટતા જાણ્યા વિના જાણી શકાતું નથી. તેથી જાતિ અથવા ગુણ અથવા ક્રિયાને આવી વિશિષ્ટતા દર્શાવવા ઉપયોગમાં લેવામાં આવે છે.
मितस्तु स्वेन मानेन प्रसिद्धो यो गुणाश्रयः ।
आश्रयान्तरमानाय स्वधर्मेण प्रवर्तते ॥३७६।। ગુણને કઈક જાણીને આશ્રય, તેના પિતાના જ માપથી માપવામાં આવતા બીજા આશ્રયના માપને માટે, પિતાની વિશિષ્ટતા દ્વારા પ્રવૃત્ત થાય છે. (૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org