________________
૯૦૫
अशब्दवाच्यो यो भेदः श्याममात्रे न वर्तते ।
श्यामेषु केषुचिद् वृत्तिर्यस्य सोऽत्र व्यपेक्ष्यते ॥३७०॥ માત્ર શ્યામ ગુણમાં જે વિશિષ્ટતા નથી, જે શબ્દ વડે વાચ્ય બનતી નથી અને જે કેટલાક શ્યામ ગુણેમાં રહેલી છે તેની (જ) અહીં અપેક્ષા છે. (૩૭)
યામ ગુણની કઈક વિશિષ્ટતા, જે શબ્દો વડે વાચ્ય બનતી નથી, તે બને આશ્રમોમાં ભેદભેદ વડે સમજવામાં અાવતાં ઉપમાનનું કારણ બને છે. તેથી શ્યામ ગુના આશ્રયનું મહત્ત્વ સમજવામાં આવે છે, અને તેની અપેક્ષા રાખવામાં આવે છે. રાત્રીમાં રહેલે શ્યામ ગુણ ઉપમાનું કારણ બને છે. છરી જે શ્યામ ગુણને આશ્રય છે તે ઉપમાનનું કારણ બનતી નથી.
श्यामेषु केषुचिस्किचित्किचित्सर्वत्र वर्तते ।
सामान्य कश्चिदेकस्मिन्छ्यामे भेदो व्यवस्थितः ॥३७१।। કેટલાક શ્યામ ગુણેમાં કોઈ સામાન્ય સર્વત્ર રહેલું છે. તે શ્યામગુણોમાંના) કેઈ એક શ્યામ ગુણમાં વિશિષ્ટતા રહેલી છે. (૩૭૧)
કેટલાક શ્યામ ગુણમાં કોઈક સામાન્ય રહેલું છે, જેને અપર સામાન્ય કહેવાય છે. આવું અપર સામાન્ય ઉપમાનું નિમિત્ત બને છે. કાઈક સામાન્ય સર્વત્ર અર્થાત્ બધા ગુણોમાં રહેલું છે. તે ઉપમાનનું કારણ બની શકતું નથી. કેઈક શ્યામ ગુણમાં અર્થાત્
ઈક પદાર્થના શ્યામવમાં કઈક એક્કસ વિશિષ્ટતા રહેલી હોય છે. તે ઉપમાનનું કારણ બને છે, જેમકે ચદ્રમાં રહેલું વિશિષ્ટ સૌંદર્ય સ્ત્રીના રૂપ માટે ઉપમનું કારણ બને છે.
तथा हि सति सौरभ्ये भेदो जात्युत्पलादिषु ।
गन्धानां सति भेदे तु सादृश्यमुपलभ्यते ॥३७२।। જાતિ, ઉત્પલ વગેરેમાં (ગધસામાન્ય હોવા છતાં જુદી) સૌરભને કારણે ભિન્નતા હોય છે. એકબીજાથી જુદી વાસમાં (સૌરભરૂ૫) સદશ્ય પ્રાપ્ત થાય છે. (૩૭૨).
જાતિ, ઉત્પલ વગેરે વાસમાં ગંધત્વ રૂપી મહાસામાન્ય હોવા છતાં સુંદર વાસ રૂપી અપરસામાન્યને કારણે ભિન્નતા અનુભવાય છે. કમળપુષ્પની સુવાસ લઈને ગાઢ અંધકારમાં પણ આ કમળપુષ્પ છે એમ નિશ્ચય થાય છે તેથી સૌરભરૂપી અપર સામાન્ય ચોક્કસ આશ્રયના સંદર્ભમાં સમજવામાં આવે છે. ઘણું પુપોમાં વાસ સરખી હોય પણ સૌરભ તો જુદી જુદી હોય છે. ગંધની જેમ રૂ૫ અંગે પણ આવી જ સ્થિતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org