SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ અભિધાનથી નિમિત્તો અર્થાત દ્રવ્યનું પણ અભિધાન થાય છે. પરિણામે દ્રયમાં પણ લિંગ અને સંખ્યા સિદ્ધ થાય છે. જાતિનું અભિધાન કહે ત્યારે નિમિત અર્થાત જાતિને લાગનારા પ્રત્યાનું વિધાન થયું હેવાથી, પ્રત્યે પ્રમાણે શબ્દો અર્થનું અભિધાન કરે છે, તેથી શબ્દપ્રવૃત્તિ અર્થાત્ શબ્દનું અભિધાન જાતિ પ્રમાણે થશે. શબ્દ જાતિનું અને દ્રવ્યનું અભિધાન કરે છે એ પક્ષમાં જાતિ અને દ્રવ્ય વચ્ચે મુખ્યગૌણુભાવ દ્વારા અર્થનું અભિધાન થાય છે. શો દ્વારા માત્ર જાતિનું અભિધાન થાય છે એ પક્ષમાં જાતિ અને કવ્ય વચ્ચે અભેદના આરોપથી અર્થપ્રાપ્તિ થાય છે, " प्राक् च जात्यभिसंबन्धात्सर्वनामाभिधेयता । वस्तूपलक्षणं सत्त्वे प्रयुज्यन्ते त्यदादयः ।।३४३॥ જાતિ સાથે અભેદ સંબંધ પ્રાપ્ત થયા પહેલાં દ્રવ્યનું સર્વનામ શબ્દ વડે અભિધાન થાય છે, કારણ કે દ્રવ્યની બાબતમાં ચટૂ વગેરે (સર્વનામ) પદાથનું સામાન્ય લક્ષણ દર્શાવવા વપરાય છે. (૩૪૩) જાતિ હંમેશાં દ્રવ્યનો આશ્રય છે. જયાં સુધી દ્રવ્ય ઉપર જાતિનો આરોપ કરવામાં આવતું નથી ત્યાં સુધી દ્રવ્યને તેનું પોતાનું રૂપ હેતું નથી. જાતિ આવી રીતે આશ્રયને સપષ્ટ કરતી હોવાથી પદાર્થ સિદ્ધસ્વભાવ બને છે. આવો સિદ્ધસ્વભાવ પ્રાપ્ત થયા પહેલાં દ્રવ્યમાં સ:, ત, તે વગેરે સર્વનામશબ્દ વપરાય છે. પદાથ વિશેષનું જ્ઞાન થવા માટે જાતિ સાથે એકરૂપ બનતા પદાર્થો જાતિ શબ્દો વડે જણાવવામાં આવે છે તેથી જાતિ શબ્દો અને દ્રવ્યશબ્દો વચ્ચે અભેદ સંબંધ સમજવામાં આવે છે . પ મ ગૌમુખ માવ સમાજ માં આવતા નથી કાં અમવાનને મુખ્ય સમજવામાં આવતાં લિંગ અને ડચ સિદ્ધ થશે. पाको पाका इति यथा भेदकः कैश्चिदाश्रयः । इष्यते चानुपादानो धर्मोऽसौ गुणवाचिनाम् ॥३४४॥ ઉલેખ પામ્યા વિનાને આશ્રયરૂપ પદાર્થ, પૌ, T વગેરે પ્રગાની જેમ (ક્રિયાને) જુદી દર્શાવે છે, એવું કેટલાક આચાર્યો માને છે. ગુણવાચક શબ્દોને આ ધર્મ છે. (૩૪૪). વાઝ શબ્દ ક્રિયા દર્શાવે છે, તેના આધારરૂપ પદાર્થને દર્શાવતું નથી. આમ હવા છતાં તે ક્રિયાને જુદી દર્શાવે છે. તેથી દ્વિવચન અને બહુવચનના પ્રયોગ, જેવા કે વા, વાર જોવા મળે છે, કારણ કે રાંધવાની ક્રિયા રાંધેલા પદાર્થ રૂપી કાર્યમાં રહેલી છે. રાંધેલા પદાર્થો જુદા જુદા હોય તો વચનભેદ પણ થાય છે. આ પ્રમાણે ગુણવાચક શબ્દો તેમના આશ્રમેનું અભિધાન કરતા ન હોય તે પણ ક્રિયાના ભેદક બને છે. અર્થાત તેને જુદી દર્શાવે છે અને તેથી તેમને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy