________________
વાકયપદોય
કહેવાય છે તેમ દ્રવ્ય, સમાન શબ્દ વડે જણાવાયેલી જાતિને જુદી દર્શાવનારું કહેવાય છે. (૩૪૦)
આખ્યાતમાં ક્રિયા મુખ્ય હોય છે. છતાં ગોણ એવા કારકને આધારે સંખ્યામાં ફેરફાર સમજવામાં આવે છે, જેમકે વરત: વનિતા એક શબ્દ વડે વાગ્ય અને પ્રધાનભૂત એવી જાતિ અંગે જાતિવાચક શબ્દ વડે જ દ્રવ્યનું અભધાન થાય છે. ગૌણ એવું દ્રવ્ય પિતાનામાં રહેલા સંખ્યાબેને જાતિ ઉપર આરોપ કરે છે.
૩૩૮મી કારિકામાં જાતિ અને દ્રવ્યના સંદર્ભમાં ગુણપ્રધાનભાવ માટે નામ અને આખ્યાતનું ઉદાહરણ આપવામાં આવ્યું છે તે યોગ્ય છે સમાસમાં જેમ ગોણુમુખ્યભાવ હોય છે, તેવી સ્થિતિ જાતિ અને દ્રવ્ય અંગે હેતી નથી. પુરુષ: | માં વચનની એજના ગૌણ પદ રંગનું પ્રમાણે કરવામાં આવતી નથી. કારણ કે પ્રધાન ૫૬ પુરુષ અને ઉ૫સજન પદ રાજા વચ્ચે અભેદ સંબંધ છે. ગુગુપ્રધાનભાવ ભિનપગે રહેલાં બે પદો વચ્ચે હોઈ શકે.
एकत्वे तुल्यरूपत्वाच्छब्दानां प्रतिपादने ।
निमित्तात्तद्वतोऽर्थस्य विशिष्टग्रहणे सति ॥३४१।। સમાનરૂપને કારણે દ્રવ્ય સાથે જતિનું એકત્વ હોવાથી, શબ્દો વડે તેવા (જાતિ રૂ૫) અને જણાવવામાં આવતાં જાતિરૂપ) નિમિત્ત દ્વારા (જાતિ) વિશિષ્ટ (દ્રવ્ય)નું જ્ઞાન થાય છે. (૩૪૧)
सोऽयमित्यभिसंवन्धादाश्रयैराकृतेः सह ।
प्रवृत्तौ भिन्नशब्दायां लिङ्गसंख्ये प्रसिध्यतः ॥३४२॥ " (આમ થતાં) જાતિના, તેના આશ્રયે (રૂપ દ્રવ્ય) સાથે, આ તે છે એવા અભેદ સંબંધને કારણે, જુદા જુદા શબ્દોનો વપરાશ થતો હોવા છતાં, લિંગ અને સંખ્યા સિદ્ધ થાય છે. (૩૪૨)
અગાઉની કારિકાઓમાં જણાવવામાં આવ્યું કે પદને અર્થ જાતિ પણ હોઈ શકે અને દ્રવ્ય પણ હોઈ શકે. બીજી રીતે કહીએ તે શબ્દ જાતિવિશિષ્ટ દ્રબનું અભિધાન કરે છે. આ સ્થિતિમાં જાતિ મુખ્ય હોવાથી લિંગ અને વચન પ્રાપ્ત થશે, એ બાબત સિદ્ધ કરવામાં આવી. ગૌણ પદ અનિત્ય મનાયું હોવાથી પ્રધાનના સંદર્ભમાં અથાત્ જાતિના સંદર્ભમાં લિંગ અને વચન સિદ્ધ થશે. શબ્દ જ્યારે માત્ર જાતિનું અભિધાન કરે ત્યારે શું સ્થિતિ થાય એ વાત આ બે કારિકાઓમાં દર્શાવવામાં આવી છે.
જાતિ શબ્દો જ્યારે પોતાના અર્થનું પ્રતિપાદન કરે છે ત્યારે જાતિવિશિષ્ટ દ્રવ્યમાં જતિને આરોપ કરવામાં આવે છે. તેથી જાતિવિશિષ્ટ દ્રવ્યનું જાતિ સાથે અભિન્ન પણે અભિધાન થાય છે. હવે બન્ને વચ્ચે અભેદ સંબંધ હોવાથી નિમિતે એવી જાતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org