________________
૪
વાકય૫રીય
गुणभावोऽभिधेयत्वं प्रति द्रव्यस्य नाश्रितः ।
उपकारी गुणः शेषः पदार्थ इति कल्पना ।।३३६।। અભિધેયના સંદર્ભમાં દ્રવ્યના ગૌણવને (ભાગમાં) સ્વીકારવામાં આવ્યું નથી. પરંતુ અતિ માટે ઉપકારક હોઈ દ્રવ્યનો, તેના અંગભૂત બનેલે અર્થ ગૌણ છે એમ સમજવામાં આવ્યું છે. (૩ ૬)
અન્વયે : અમિધેયä વ્રતિ દાચ કુળમાંaઃ ને માત: (fક્ર તુ ગાતે:) ૩૧મારી વાર્થ: એ સન્ મુળ તિ જ્યના ' ' પદનો અર્થ જાતિ છે એમ માનનારને માટે પદનો મુખ્ય વાચ અર્થ જાતિ છે જાતિ અભિધેય છે. એ અર્થમાં દ્રય જાતિને ઉપકારક બની રહે છે અથની દ્રષ્ટિએ જાતિના અંગરૂપે રહેલ દ્રવ્યરૂ૫ અર્થ જાતિના ગૌણ રૂપે સમજવામાં આવે છે.
द्रव्ये न गुणभावोऽस्ति विनाद्रव्याभिधायिताम् ।
आकृतौ वा प्रधानत्वमत एवं समर्थ्यते ।।३३७।। શબ્દ અદ્રવ્યનું અભિધાન કરતો ન હોય તો દ્રવ્યમાં ગણત્વ હોઈ શકે નહિ. તેથી આકૃતિનું મુખ્યત્વે આ પ્રમાણે સ્વીકારવામાં આવ્યું છે. (૩૩)
પદનો ગૌણ અર્થ પણ દ્રવ્ય નથી; તેથી એમ કહી શકાય કે દ્રવ્યનું ગૌણત્વ તેના જાતિ ઉપરના ઉપકારને કારણે છે, તેના અભિધાનને કારણે નથી. જે દ્રવ્યનું અભિધાન થાય છે એમ માનીએ તો અનિધાન મુખ્ય થશે. પરંતુ આવું માનવાની જરૂર નથી.
कैश्चिद् गुणप्रधानत्वं नामाख्यातवदिष्यते ।
न वृत्तिवत्परार्थस्य गुणभावस्तु वर्ण्यते ॥३३८।। કેટલાક આચાર્યો દ્રવ્ય અને જાતિ વચ્ચે. સમાસમાં જેમ બીજાને અર્થે, ગૌણુભાવ જણાવવામાં આવે છે તેમ નહિ, પરંતુ, નામ અને આખ્યાતની જેમ, ગૌણપ્રધાનભાવને સ્વીકારે છે. (૩૮)
દ્રવ્ય અને જાતિ અંગે એક બીજા મતને રજૂ કરવામાં આવે છે. -
વચતિ અને વાવ+: શબ્દ ચેકસ અર્થનું અભિધાન કરે છે. આ બે ક્રિયાકારક વચ્ચે ગૌણમુખ્યભાવ છે. તે પ્રમાણે પદનો અર્થ જાતિ સમજવામાં આવે કે દ્રવ્ય સમજવામાં આવે, બન્ને વચ્ચે ગૌમુખ્યભાવ ક૯પી શકાય છે. જાતિને મુખ્યપણે વાચક માની શકાય અને દ્રવ્યને ગૌણપણે વાચક માની શકાય.
વાર એવું નામપદ સાધનો આશ્રય દર્શાવે છે. ધાતુનો અર્થ પ્રત્યયને અર્થના વિશેષણ રૂપે છે. તેથી ધાતુને ક્રિયા અર્થ, ગૌણ રૂપે સમજવામાં આવે છે, કારણકે અહીં ક્રિયા મુખ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org