________________
૧૯૨
વાકય૫રીય
પદનો અર્થ દ્રવ્ય માનતાં વૈફુદુ વૈધ્રુવચનમ્ (૧.૪.૨૧) ઘણા પદાર્થો માટે બહુવચન વપરાય છે, એવા શાસ્ત્રીય નિયમને કારણે વચનની સિદ્ધિ થાય છે. પદનો અર્થ આકૃતિ સમજવામાં આવતાં શાસ્ત્રનિયમનો સંઘ કેવી રીતે પ્રાપ્ત થશે તે હવે પછીની કોરિકામાં દર્શાવવામાં આવ્યું છે.
वर्तते यो बहुध्वोऽभेदे तस्य विवक्षिते ।
स्वाश्रयेद्यपदिष्टस्य शास्त्रे वचनमुच्यते ॥३३१॥ જે (જાતિરૂપ, અર્થ અનેક પદાર્થોમાં પ્રાપ્ત થતો હોય અને જ્યારે અર્થોના અભેદની વિવેક્ષા હોય ત્યારે તેના આશ્રય(રૂપ પદાર્થો) સાથે ઉલેખાતા તે (જાતિ રૂ૫ અર્થ)ને માટે (બહુ)વચનનું વિધાન કરવામાં આવે છે. (૩૩૧)
જાતિરૂ૫ અર્થમાં બહુવચન કેવી રીતે પ્રાપ્ત થાય છે તેને અંગે આ કારિકામાં વિચારવામાં આવ્યું છે.
જાતિના અનેક આશ્ર સમજવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તે આશ્રયોની વચન પ્રમાણે જાતિમાં પણ બહુવચન પ્રાપ્ત થશે. જે જાતિના આધારો બે હોય તો તેને માટે દ્વિવચન થશે.
આ કારિકામાં કાર્યોને એવો પાઠ સમજીને ચાખ્યાન કરવામાં આવ્યું છે. હેલારાજ મ મેટું એવો પાઠ સમજે છે. જે જાતિલક્ષણ અર્થ અનેક આશ્રામાં પ્રાપ્ત થાય અને આ આશ્રયે જુદા જુદા છે એવી જયારે વિવક્ષા હોય ત્યારે શાસ્ત્રમાં તેને માટે બહુવચનનું વિધાન કરવામાં આવે છે (સરખા- ગાતિક્ષળો વધુ વર્તતે તસ્ય મે મિરનાધાર વિલિસે વઘુવતિ દ્વારા શાત્રે થતથ દુવચન વિધીયસે હેલારાજ)
यद। त्वाश्रयभेदेन भेद एव प्रतीयते ।
आकृतेर्द्रव्यपक्षेण तदा भेदो न विद्यते ॥३३२।।
જ્યારે જુદા જુદા આશ્રયને કારણે જાતિમાં પણ ભેદ સમજાય છે ત્યારે (આકૃતિપક્ષ) દ્રવ્યપક્ષથી જુદા સમજવામાં આવતો નથી, (૩૩૨).
આશ્રયો જુદા જુદા હોવાને કારણે જાતિને પણ અનેક માનવી પડે ત્યારે બહુવચનનું વિધાન સ્વાભાવિક બને છે. અનેક આશ્રયો પ્રમાણે અનેક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. પરંતુ આ વાત બરાબર ન હોવાથી એકશેષનું વિધાન યોગ્ય ઠરે છે. આમ વચનના સંદર્ભમાં જતિ પક્ષ અને દ્રવ્યપક્ષમાં કશે તફાવત નથી. મહાભાષ્યકારે આ બાબતનું ખંડન કર્યું છે; સર ખાવો, યહિ ધાર્ષિાતિરે વેન વિલિતા, વરાવિવિ દિન રાત્ बहुत्वेन एका आकृतिरिति प्रतिज्ञा हीयते । यच्चास्य पक्षस्योपादाने प्रयोजनमुक्तम्-एकशेषो न वक्तव्य इति, स इदानीं वक्तव्यो भवति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org