________________
બીજુ કાંડ
બીજી પંક્તિને હેલારાજના વ્યાખ્યાનને અનુસરતો અર્થ શીકારવામાં આપે છે. કોઈકવાર મિત્રમ, અત્રમ્ વગેરેમાં આવિર્ભાવરૂપ પુત્વને અથવા તિરોભાવ રૂપ સ્ત્રીત્વનો સંસ્કાર ન હોવા છતાં વિવક્ષાને કારણે લિંગસામાન્ય રૂ૫ નપુંસક લિંગ મોજવામાં આવે છે.
कृत्तद्धिताभिधेयानां भावानां न विरुध्यते ।
शास्त्रे लिङ्ग गुणावस्था तथा चाकृतिरिप्यते ॥३२८॥ ગુણોની (આવિર્ભાવ વગેરે) અવસ્થા એટલે લિંગ એવું લિંગનું શાસ્ત્રમાં પ્રાપ્ત થતું લક્ષણ કુદરત અને તદ્વિતાન્ત શબ્દો વડે વ્યક્ત થતા અર્થોનું વિરોધી નથી. તેથી જાતિરૂ૫ લિંગને સ્વીકારવામાં આવે છે. (૩૨૮)
વા, વજિ:, પાનમ, એવા કૃતપ્રયાન્ત શબ્દો વડે દર્શાવાતા પદાર્થો તેમની જુદી જુદી અવસ્થાએ પ્રમાણે જુદાં જુદાં લિંગને પ્રાપ્ત કરે છે. તેથી તેમનાં લિંગ નિશ્ચિત બને છે. એવી જ સ્થિતિ ગરિમા, કુતા, વગેરે તદ્ધિતાન્ત શબ્દની છે. ગુણોની અવસ્થા એટલે લિંગ એવી શાસ્ત્ર પ્રાપ્ત વ્યાખ્યા યોગ્ય છે, તેથી સરવે વગેરે ગુણેના પરિણામ દ્વારા પ્રાપ્ત થતી રૂ૫, રસ વગેરેની આવિર્ભાવતિભાવ રૂપી અવસ્થા, પ્રવૃત્તિસામાન્ય દર્શાવે છે. આ પ્રવૃત્તિ સામાન્ય એટલે લિંગ અથવા જાતિ.
लिङ्ग प्रति न भेदोऽस्ति द्रव्यपक्षेऽपि कश्चन ।
तस्मात् सप्त विकल्पा ये सैवात्राविष्टलिङ्गता ॥३२९।। પદને અર્થ દ્રવ્ય છે એવા પક્ષમાં લિગવિષયક કોઇ વિરોધ નથી. તેથી (લિંગ અંગે ક૯પવામાં આવેલા) જે સાત વિકપ છે તે જ (જાતિ શબ્દોની) નિયતલિંગતામાં સમાઈ જાય છે. (૩૨૯)
પદને અર્થ દ્રવ્ય માનીએ તે ગુણોની આવિર્ભાવ વગેરે અવસ્થાએ લિંગની વાચક છે. પદનો અર્થ આકૃતિ માનીએ તે જુદી જુદી વ્યક્તિઓ જાતિના આધાર રૂપે હોવાથી ગુણેની અવસ્થા જ લિગની વાચક બનશે. આમ હોવાથી જાતિ પક્ષમાં તેમજ વ્યકિત પક્ષમાં શબ્દો નિયતલિંગવાળા હોય છે. બંને રીતે લિંગ અંગે કશે ફેરફાર સમજવામાં આવતો નથી. લિંગ અંગેના સાત વિક િલિંગસમુદ્દેશમાં ચર્ચવામાં આવ્યા છે.
વને નિયમ: રાન્નાદુ થસ્થાવુપતે !
यतस्तदाकृतौ शास्त्रमन्यथैव समर्थ्यते ॥३३०॥ દ્રવ્યની સંખ્યા અંગેનો નિયમ શાસ્ત્રમાંથી (જ) પ્રાપ્ત થતો હોવાથી પદાર્થને આકૃતિ માનતાં પણ તેની સંખ્યા અંગેના શાસ્ત્રનિયમને (પણ) જુદી રીતે સમજાવી શકાય. (૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org