SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ S ૨૫.૧. કાર્યકાણુભાવ સંબંધ અભેદ સંબંધ મૂલક છે. ઘટ શબ્દમાં દરેક ધ્વનિ ઘટપદફેટનો વ્યંજક બને છે. આ ધ્વનિઓ અર્થાત અવયવો અર્થનિર્ભસરૂપે સમગ્ર ઘટપદના અર્થના પ્રત્યાયક બને છે. તેવી રીતે વાક્યમાં પણ તેને અવયવો અર્થાત પદે વાગ્યાથના પ્રત્યાયક બને છે. બીજી રીતે કહીએ તો જેમ શબ્દ અર્થનું નિમિત્ત બને છે તેમ અથ પણ શબ્દનું નિમિત્ત બને છે. અર્થાકાર બુદ્ધિ શબ્દાકાર બુદ્ધિને ઉત્પન્ન કરે છે. આમ બુદ્ધિ અને વિષયનું તાદામ્ય થતાં અર્થ કારણ બને છે અને શબ્દ કય બને છે. શબ્દ અને અથ વચ્ચે આવો કાર્યકારણભાવ રૂ૫ સંબંધ પ્રાપ્ત થાય છે. ૨૫.૨. ગ્યતા લક્ષણ સંબંધ ઇન્દ્રિય અને વિષય વચ્ચેના સંબંધની જેમ પ્રકાશકપ્રકાશ્યભાવરૂપે છે. વ્યવહારમાં ગાય એવા અર્થને હંમેશાં દર્શાવનાર “ જો ” વગેરે સાધુ શબ્દ જાતિ, ક્રિયા વગેરેથી વિશિષ્ટ એવા અર્થમાં નિત્ય યોગ્યતા ધરાવે છે. આવી યોગ્યતા સાધુ શબ્દો માટે નિત્ય છે, પરંતુ અસાધુ શબ્દો માટે વૃધવ્યવહારરૂપ સંકેતથી પ્રાપ્ત થાય છે. ૨૬.૧. વ્યાકરણશાસ્ત્રમાં પ્રાપ્ત થતા નિદેશે અને સ્પષ્ટ કથનો (લિંગ અને સ્વશબ્દ) શબ્દાર્થ સંબંધનું સ્પષ્ટીકરણ કરે છે, જેમકે બ્રિયા[ (૪.૧.૨) સૂત્રથી દુરી અને માપૂ જેવા સ્ત્રીલિંગપ્રત્યે દર્શાવવામાં આવ્યા છે, અહીં સ્ત્રી-અથના અભિધાન માટે આવા પ્રત્યે પ્રાપ્ત થાય છે કે સ્ત્રી–અર્થવૃતિવાળા પ્રાતિપાદિકને સ્વાર્થમાં પ્રાપ્ત થાય છે એવો સંશય થતાં ચોક્કસ કથનો વડે એવા સંશયે દૂર કરવામાં આવે છે. ગ્રાહ્મળ: એવા નગ્ન સમાસમાં પૂર્વપદના નગ્નો અર્થ મુખ્ય છે કે ઉત્તરપદનો અર્થ મુખ્ય છે એવા વિક પ્રાપ્ત થતાં ચોકકસ નિર્દેશો વડે નિશ્ચય કરવામાં આવે છે. આવી સ્થિતિ શાસ્ત્રવ્યવહારમાં પ્રાપ્ત થાય છે, લૌકિક વ્યવહારમાં નહિ, કારણ કે લૌકિક વ્યવહારમાં શબ્દનો સમુદાયાથ લેવાતો હોવાથી કોઈ વિકપે સંભવતા નથી. शिष्टेभ्य आगमात्सिद्धाः साधवो धर्मसाधनम् । अर्थप्रत्यायनाभेदे विपरीतास्त्वसाधवः ॥२७॥ नित्यत्वे कृतकत्वे वा तेषामादिर्न विद्यते । प्राणिनामिव सा चैषा व्यवस्थानित्यतोच्यते ॥२८॥ શિષ્ટ પાસેથી અવિછન્ન પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલા સાધુ શબ્દો ધર્મ પ્રાપ્તિનું સાધન છે. અથધ કરાવવા અંગે અસાધુ શબ્દા જુદા ન હોવા છતાં તેઓ (સાધુ શબ્દોથી) વિરુદ્ધ (સ્વભાવવાળા) છે. (૨૭) શબ્દોને નિત્ય માનવામાં આવે કે ઉત્પાદ્ય, તેમનો આરંભ જાણવામાં આવતો નથી. પ્રાણીઓની બાબતમાં હોય છે તેમ આ (નિત્યતાને (શબ્દો ઉત્પાઘ છે એ પક્ષમાં) વ્યવહારનિયતા કહેવામાં આવે છે. ૧ (૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy