________________
૧૪
વાકપષધીય
બનવાને યોગ્ય એવા શબ્દો ૩ તથા અન્ય પદસમુદાયનો ) બોધ કરાવનાર શબ્દો અને સાધુ શબ્દો માટે તેમના પ્રવેશ દ્વારા) ધર્મપ્રાપ્તિમાં તેમજ અર્થબોધમાં ઉપકારક અને અસાધુ શબ્દો માટે (માત્ર) અર્થબંધમાં ઉપકારક એવા કાર્યકારણુભાવરૂપ અને ગ્યતા ર રૂપ સંબંધે, આ શાસ્ત્રમાં ચકકસ નિદેશે વડે અને પ્રત્યક્ષ વ્યાખ્યાન વડે વણવાયા છે. ( વ્યાકરણ) આગમને અનુસરીને આવા કેટલાકને જ સ્મૃતિ(માં દઢબદ્ધ થવા) માટે અહીં રજૂ કરવામાં આવ્યા છે. (૨૪-ર૬)
૨૪.૧ આ ત્રણ કારિકાઓ ઉપરની વવજ્ઞવૃત્તિમાં જણાવવામાં આવ્યું છે કે આ ત્રણ શ્લોકમાં પ્રસ્તુત અર્થાત્ વાક્યપદીય રૂપી શાસ્ત્રમાં જે વિષયો જાણવા ઇષ્ટ છે તેમનો ઉલ્લેખ થયો છે. પ્રથમ કાંડના ટીકાકાર હરિવૃષભ અને તૃતીય કાંડના ટીકાકાર હેલારાજ પણ આ જાતનો ઉલ્લેખ કરે છે. આ ત્રણ લેકમાં અદ્ધિાર પદાર્થ અને સ્થિતલક્ષણ પદાથ એવા બે પ્રકારના અર્થો, અન્વાખ્યય અને પ્રતિપાદક એમ બે પ્રકારના શબ્દો, કાર્યકારણ અને યોગ્યતા એમ બે પ્રકારના સંબંધો અને ધર્મબોધ અને અર્થ બોધ એમ બે પ્રકારનાં પ્રયોજનો, એમ આઠ પ્રકારનું શાસ્ત્ર શરીર કલ્પવામાં આવ્યું છે.
અદ્ધિાર પદાર્થ અર્થાત પ્રતિપાદિકાર્થ, ધાત્વર્થ અને પ્રત્યયાર્થની ચર્ચા બીજા અને ત્રી કાંડમાં વિસ્તારથી કરવામાં આવી છે. સ્થિતલક્ષ અર્થ એટલે વાકક્ષાર્થની ચર્ચા બીજા કાંડમાં કરવામાં આવી છે. કાર્યકારણરૂપ સંબધ અને ચોગ્યતારૂપ સંબંધની ચર્ચા ત્રીજા કાંડમાં સંબંધ સમુદ્રદેશમાં કરવામાં આવી છે. અન્વાખેય શબ્દો અને પ્રતિપાદક શબ્દોની ચર્ચા તૃતીય કાંડમાં કરવામાં આવી છે. ધમધ અને અર્થબોધની ચર્ચા પહેલા કાંડની શરૂઆતમાં કરવામાં આવી છે.
અદ્ધિાર એટલે વિશ્લેષણ. બીજી રીતે કહીએ તો ગાઢ જોડાયેલા (કાન્ત સંસ્કૃષ્ટમ) એવા પદનું પ્રકૃતિ અને પ્રત્યયરૂપે વિભાજન અને સંસૃષ્ટ એવાં વાક્યનું પદમાં પૃથક્કરણ. પદરૂપ કે વાક્યરૂપ શબ્દાત્મા સંસૃષ્ટરૂપે હોય તેનું અન્વયવ્યતિરેકથી પ્રકૃતિ પ્રત્યયરૂપે અને જુદાં જુદાં પરૂપે વિશ્લેષણ માત્ર શાસ્ત્રમાં જ ઈષ્ટ છે, એટલું જ નહિ પણ, આવશ્યક છે. એક પત્રમાં પ્રાતિપતિકાઈ, ધાત્વથ, પ્રત્યાર્થ એમ વિભક્ત રીતે આપણે વિચારીએ છીએ. તે પ્રમાણે સમાસમાં પૂર્વ પદાથ, ઉત્તર પદાર્થ, અન્ય પદાર્થ અને જુદાં જુદાં પદ અંગે વિચારીએ છીએ.
૨૪ ૨ સ્થિત અર્થાત નિશ્ચિત લક્ષણવાળા એટલે તિલક્ષણ પદાર્થો અને વાક્યર્થો. પદના અર્થના જ્ઞાન માટે પ્રકૃત્યથ અને પ્રત્યયાથ નિમિત્તરૂપ બને છે અને તે પદના અથનો બોધ થતાં અદષ્ટ થાય છે વાકયાર્થના જ્ઞાન માટે પદોના અર્થી નિમિત્તરૂપ બને છે અને વાયાથી પ્રાપ્ત થતાં પદેના અર્થો અદષ્ટ થાય છે.
૨૪.૩. અન્વાખ્યાન એટલે શિષ્યો વડે પ્રયોજાયેલા શબ્દોનું વ્યાકરણના નિયમો વડે પ્રકૃતિપ્રત્યયવિભાગથી જ્ઞાન પ્રાપ્ત કરવું. અન્યાખ્યાન પદનું તેમજ વાકાનું હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org