SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ સમર્થન કરે છે. * શબ્દ, અર્થ અને સંબંધ નિત્ય હાઈને'' (મહામાય, પદનાનિઝ તા. ૧) એવું વાર્તિક અને “ શબ્દ ફેટ (જ) છે અને ધ્વનિ તેના પ્રયતનથી ઉત્પન્ન થાય છે ? જેવા બ્લેકવારિકે પણ આના સમર્થન રૂપે મળે છે. ભાગ્યમાં પણ જણાવ્યું છે કે “સંગ્રહ(2)માં આની વિશેષરૂપે ચર્ચા મળે છે કે શબ્દ નિત્ય છે” (મદ્દામણ ૧, ૬) અને “શબ્દો નિત્ય હોય તો વર્ષે પણ કૂટસ્થ અને અવિચાલી હોવા જોઈએ (મામાદા ૧.૧૮ ); આવાં સૂત્રવાર્તિકભાષ્યનાં વચનો ઉપરથી પણ શબ્દાર્થસંબંધનિત્યત્વ સ્પષ્ટ થાય છે. આ કારિકા ઉપરની વોવજ્ઞવૃતિમાં જાતિ, આકૃતિ અને સામાન્ય અંગે ભહરિ સૂક્ષ્મ ચર્યા કરે છે. પ્રાચીન દાર્શનિકે, જૈમિનિ, શબર, કુમારિ, પ્રભાકર, શંકર વગેરે આકૃતિ શબ્દને જાતિના અર્થમાં પ્રયોજે છે (જ્ઞાતિવાઝુર્તિ પ્રાદુ: ( મો. ટૂ. મા. જસ્ટેવાતિ, મતિ, મો. ૩). ભર્તુહરિને મતે શબ્દ એટલે શબ્દાકૃતિ અથવા શબ્દજાતિ. આ શબ્દજાતિ એટલે શબ્દસ્વસામાન્ય નહિ. શબ્દમાં શબ્દસ્વસામાન્ય છે અને વૃક્ષ શબ્દમાં વૃક્ષશત્વસામાન્ય છે. જેમ ઘટમાં દ્રવ્યત્વ, પૃથિવીત્વ અને ઘટવ એકસાથે રહે છે તેમ વૃક્ષ શબ્દમાં ગુણત્વ શબ્દત્વ અને વૃક્ષશબ્દ પણ સાથે રહેલાં છે. અવયવી એવા વૃક્ષ શબ્દના એકસાથે નહિ ઉત્પન્ન થયેલા અને એક સાથે અવસ્થિત નહિ રહેલા અવયવો અર્થાત્ ૧, ૨, ઉ વૃક્ષ શબ્દનું રૂપ કેવી રીતે અભિવ્યક્ત કરી શકશે એવા પ્રશ્નોના જવાબમાં કહી શકાય કે ઉક્ષેપણ, આકુંચન વગેરે ક્રિયાઓની અભિવ્યક્તિ વખતે જે ક્રિયાસામ્ય પ્રાપ્ત થાય છે તેનાથી થતા પ્રયત્નવિશેષથી ઉત્પન્ન થયેલ વણે, પૂર્વ પૂર્વ વણથી સંસ્કાર પામીને અંતિમ વર્ણના બેધથી અભિવ્યક્ત થતા શબ્દરૂપે પ્રાપ્ત થાય છે. શબ્દાગૃતિ અર્થાત્ શબ્દજાતિ અંગેનો આ સિદ્ધાન્ત અને પ્રક્રિયા અન્ય શાસ્ત્રોમાં જાણીતી જાતિની અભિવ્યક્તિથી જુદાં છે. જે દાર્શનિકે આકૃતિને સ્વીકારતા નથી તેઓ અનેક ધ્વનિઓથી અભિવ્યક્ત નિત્ય શબ્દ વ્યક્તિને સ્વીકારે છે. બીજા દાર્શનિકે, શબ્દો વ્યવહારનિત્યતાને કારણે નિત્ય છે એમ સમજાવે છે. अपोद्धारपदार्था ये ये चार्थाः स्थितलक्षणाः । अन्वाख्येयाश्च ये शब्दा ये चापि प्रतिपादकाः ॥२४॥ कार्यकारणभावेन योग्यभावेन च स्थिताः । धर्मे ये प्रत्यये चाङ्ग संबन्धाः साध्वसाधुषु ॥२५।। ते लिङ्गश्च स्वशब्दैश्च शास्त्रेस्मिन्नुपवर्णिताः । स्मृत्यर्थमनुगम्यन्ते केचिदेव यथागमम् ॥२६।। પદોના પ્રકૃતિ પ્રત્યયવિભાગથી પ્રાપ્ત થતા અર્થો તથા નિશ્ચિત સ્વરૂપવાળા ૨ અર્થો (વ્યાકરણ દ્વારા પ્રકૃતિપ્રત્યયવિભાગથી વિશ્લેષણ પામીને ) સ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy