SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વાષપદીય ૯. ૧૫થી ૨૨ સુધીની કારિકાઓ ઉપર વપજ્ઞત મળતી નથી, તેથી આ કારિકાએ વાકયપદીયનો અંતગત ભાગ હોવાને બદલે કારિકા ૧૪ની વૃતિમાંના સંગ્રહો છે એવો મત પ્રચલિત બનવાનો સંભવ છે, પરંતુ કારિકા ૨૩માંનો તૈત્ર શબ્દ ૨૨મી કારિકામાં ઉલ્લેખ પામેલ વ્યાકરણનો વાચક છે, તેથી આ શ્લેકસમૂહને ભતૃહરિની કૃતિ માનવામાં વાંધો આવો જોઈએ નહિ. ૧૦. શબ્દ અંગેના બમ નિરાસ થતાં અર્થ અંગેના ભ્રમનો પણ નિરાસ થાય છે. આવી ભ્રમમુક્તિ વ્યાકરણથી જ થાય છે. અવશ્ય એટલે વેદગ્રહણ માટે સમર્થ વ્યક્તિ. તત્ર સાધુ: એવા સૂત્ર (૧૫. . .૪.૧૮)થી વત્ પ્રત્યય લાગીને છહ્ય શબ્દ બન્યો. પરંતુ ત્રાહ્મળમાળવવાઢવાન્ ! એવા સૂત્ર (૧. સૂ. ૪ ૨.૪ ૨)થી થન્ પ્રયત્ન લાગીને ઇન્દોનો સમૂહ એવો અર્થ પણ થશે. ૧૧. આલેક, તમ અને પ્રકાશ એવા શબ્દો અને તે અંગેના ઉલ્લેખો પ્રત્યભિજ્ઞા. દશનમાં પ્રસિદ્ધ છે. અહીં આ દર્શનનો ઉલ્લેખ છે એમ કહી શકાય નહિ. પરંતુ “અવબાધ માટે નિત્ય ઉપકારક એવી વારૂપતા જે અદષ્ટ બને તે શબ્દરૂપી પ્રકાશ પ્રકાશે નહિ, કારણકે વાગરૂપતા અર્થાત શબ્દતત્વ પ્રકાશનું પણ પ્રકાશક છે ” એવી ભતૃહરકારિકા ૧.૧૨૪)ને લીધે કેઈક ઉપનિષત્કાલીન પ્રાચીન પ્રણવદનપદ્ધતિ તેમને જાણીતી હતી એમ કહેવાનું મન થશે. જે “યોગીઓ આલેક અને તમમ્ અર્થાત વિદ્યા અને અવિદ્યાને ત્યાગ કરીને પ્રકાશ અર્થાત્ પરમ શબ્દબ્રહ્મને ઉપાસે છે” (પદ્ધતિ). રૂપ અને ક્રિયાને વ્યક્ત કરતી વૈખરી વાણી” અથવા “દેશભેદ અને કાલભેદને વ્યક્ત કરતી વૈખરી વાણું' એવો અર્થ પણ મૂર્તિાપારન'ને કરી શકાય. ૧૨. અક્ષરસમૃતિ એટલે અક્ષરસમાસ્નાય અથવા વર્ણમાળા. તેનાં ચિહ્નો એટલે અરવ્યંજનાદિ વણે. આ વર્ષે વાણીને વ્યક્ત કરવાનાં નિમિત્ત અર્થાત્ સાધનો છે. જેને સાધુ શબ્દનું જ્ઞાન અને તેમના ચગ્ય પ્રયોગનું જ્ઞાન થયું છે તેવા ઋષિએ તે શબ્દબ્રહ્મમાં પ્રતિબિંબ રૂપે જુએ છે. नित्याः शब्दार्थसंबन्धास्तत्राम्नाता महर्षिभिः । सूत्राणां सानुतन्त्राणां भाष्याणाञ्च प्रणेतृभिः ॥२३॥ સૂત્ર, વાજ્ઞિક અને ભાગ્યના પ્રણેતા મહર્ષિઓએ શબ્દ, અર્થ અને તેમના) સંબંધને નિત્ય કહ્યા છે. (૨૩) ૨૩.૧. સૂત્રોના પ્રણેતાઓ એટલે વ્યાકરણનાં સૂત્રોના પ્રણેતાઓ. સૂત્રની રચનાનો આરંભ જ શબ્દનું નિત્યત્વ દર્શાવે છે, કારણ કે, જે શબ્દો અનિત્ય હોય તે સૂત્રારંભનું પ્રોજન રહે નહિ. આ ઉપરાંત “ ( શબ્દોની) સંજ્ઞાઓ ( વ્યવહારમાં ) પ્રમાણભૂત હોવાથી આ લિંગ અને સંખ્યા અંગે યુક્તવભાવનો ઉપદેશ કરવાની જરૂર નથી ? ( તાિથે સાઘમાળવાતુ | વા. સૂ. ૧.૨.૫૧ ) એવાં સૂત્રો પણ શબ્દનિત્યનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy