________________
પ્રથમ કાંડ
જેવા સાત પ્રકારથી પણ વ્યાકરણનો બેધ થાય છે. વ્યાકરણ વડે ન સમજાતે કૃષોહરારિ શખસમૂહ રાષ્ટો ના અનુમાનથી સમજાવે છે; કારણ કે શિષ્ટ કેઈ વિશિષ્ટ ઉપદેશ વિના સાધુ શબ્દોનું જ્ઞાન ધરાવે છે અમ વ્યાકરણ શબ્દવની પ્રાપ્તિનો લઘુ ઉપાય છે.
૬ (ક) વિચક્ષા શબ્દોના અર્થની પ્રવૃત્તિનું મૂળ છે. આ વિવક્ષાનો આધાર એગ્ય ( = સાધુ ) શબ્દ ઉપર છે. પદાથને જોવા જેમ નેત્રને કામે લગાડવામાં આવે, સુંધવા માટે ઘાણ અને સાંભળવા માટે કાનને, તેમ યોગ્ય વચન ઉચ્ચારવા માટે ચોગ્ય શબ્દોને ઉપયોગ કરવામાં આવે છે.
- (ખ) અથની પ્રવૃત્તિનું તત્વ એટલે પદાર્થને જાણવા માટે કેઈક ચેકસ શબ્દ પ્રયોજવાનું કારણ. આવા કારણને લીધે તે પદાર્થના વપરાશ માટે અર્થાત તેને જાહેર કરવા માટે યોગ્ય શબ્દ પસંદ થાય છે.
(ગ) સંસર્ગ (પરસ્પર અનુપ્રવેશ) એ અર્થની પ્રવૃત્તિમાં તત્ત્વ અર્થાત્ નિમિત્ત છે. “ ગાય ” એવા પદાર્થને તથા તેના વાચક “ગાય” એવા શબ્દને પરસ્પર સંસર્ગ હોય છે,
(ઘ) અર્થનું પ્રવૃત્તિતત્વ એમ સમાસ સમજીએ તો અર્થનું પ્રવૃત્તિતત્વ સંસર્ગ થશે, કાર ) કે અથS સાથે સંસવાળે શબ્દ વાપ્ય બનશે.
(ડ.) અર્થની પ્રવૃત્તિનું તત્ત્વ એમ વિગ્રહ સમજીએ તે પ્રવૃત્તિ એટલે જન્માદિ ક્રિયા, તેનું તત્વ એટલે કંઈક સિદ્ધ કરવું. તે સિદ્ધ કડવા સાધનની જરૂર, તેમાં ક્રમની પ્રાપ્તિ અને તેનાથી થતી કાલની અભિવ્યક્તિ, આ બધાની સાથે અર્થનો સંબંધ એટલે અર્થપ્રવૃત્તિતત્વ.
(ચ) અથવા અર્થ પ્રવૃત્તિનું તત્વ એટલે બાહ્ય પદાર્થના રૂપાદિની અભિવ્યક્તિ કરાવનાર જ્ઞાન ( = પ્રત્યય). આ અથરૂપકાર જ્ઞાન બાહ્ય વસ્તુઓને આવરી લે છે અને આ કાર્ય શબ્દ ઉપર નિર્ભર છે.
અર્થપ્રવૃત્તિતત્ત્વની આવી છ વ્યાખ્યાઓ ભતૃહરિની સૂક્ષ્મ પ્રતિભાની નીપજ છે કે પ્રાચીન મતાન્તરે છે તે કહેવું મુશ્કેલ છે. મહાભાષ્ય દીપિકામાં પણ આવાં વિક૯પવ્યાખ્યાનો અનેક સ્થળે મળે છે.
૭. આ વિચારની હાંસી ઉડાવતાં કુમારિલ ભટ્ટ (તત્રવાર્ત, કે. ટૂ, મા. ૨.૮.૨૪ જણાવે છે કે શબ્દોના તત્ત્વનો બોધ શ્રોન્દ્રિય વિના થતો નથી. (તરવાવવો: રવાનાં नास्ति श्रोत्रेन्द्रियाहते।)
૮, સાધુ શબ્દો અને તેમના પ્રયોગના જ્ઞાનવાળી વ્યક્તિ શબ્દોના પૌર્વાપર્યને ઉલ્લંઘને શબ્દતત્ત્વના સ્વરૂપ સાથે જોડાય છે. તેથી તે વૈકરણ્યને અર્થાત ઈન્દિના કાર્યમાંથી મુક્તિને પામે છે. ત્યાર પછી તે બધા વાગ્વિકારોની પ્રકૃતિ એવી પ્રતિભાને પામે છે. તે પ્રતિભામાંથી સવે વિકારથી અત્યંત મુક્ત એવી શબ્દબ્રહ્મરૂપી પરા પ્રકૃતિને પામે છે,
વૈયાકરણ પાપની પ્રાપિત કરાવે તેવા અપભ્રંશ (અસાધુ) શબ્દોનો પ્રયોગ કરો નથી. કારણ કે “(શુદ્ધ શબ્દોનું) જ્ઞાન તેનો આશ્રય છે ” (મામાવ્ય ૧, . ૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org