SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ થાકષ૫દીય * કારિકાઓ ૧૧ થી ૨૨ને વ્યાકરણસ્મૃતિના ગૌરવને વણવતી કારિકાઓ સમજવી જોઈએ. આ કારિકામાં માત્રા : મા: (૧૨), તત્ (૧૪), gષા વિઘા (૧પ), a[, $યમ્ (૧૬) અને મત્ર (૧૭) વ્યાકરણનો ઉલ્લેખ કરે છે. ચત,..ગત (૧૮), ચમ્ (૧૧), ચત્ર (૨૦), યદમન (૨૧), ટૂ (૨૨) શબ્દબ્રહ્મને ઉલ્લેખ કરે છે, પરંતુ કારિકાઓ ૧૮થી ૨૨માંના આ ઉલેખેને તત્ વર વ્રહ્મ કથાવામાખ્યા અધિપતે એમ સંદમાં જોડવા જોઈએ. કારિકા ૨રૂમાંનું તત્ર પદ આ બાબતની પૂતિ કરે છે. प्रधानं च षडङ्गेषु व्याकरणम् । प्रधाने च कृतो यत्नः फलवान् भवति।-म.भा. १, पृ. 1. ૧. આસન એટલે પાસેનું, તેથી સાક્ષાત્ ઉપકારક, ૨. બ્રહ્મચર્ય, અધઃશયન, ચાન્દ્રાયણ, જલવાસ વગેરે તપ કાર્યોમાં ઉત્તમ ત૫રૂપે આ વ્યાકરણ છે, કારણ કે તે શબ્દનાનરૂપી દૃષ્ટફળ અને મેક્ષરૂપી અદૃષ્ટ ફળ આપનારું છે પતંજલિ પણ જણાવે છે (મદામાણ ૧, પૃ. ૩ દ) કે અક્ષરસમાપ્નાયના જ્ઞાનમાત્રથી, વેદમાં નિર્દિષ્ટ પુણ્ય અને ફળની પ્રાપ્તિ થાય છે. ૩. અભિન્ન, ક્રમ વિનાના, આંતરશબ્દતત્ત્વમાંથી વર્ણ પદ અને વાકયરૂપ વિભાગને પ્રાપ્ત થયેલી વાણીને ઉત્તમ સાર એટલે વ્યાકરણ. અથવા “ ” શબ્દના ગાય એવા અર્થરૂપી વિભાગવાળી વાણીને ઉત્તમ સાર એટલે વ્યાકરણ. વાણીના ઘર, પટ, ગાય વગેરે પદાર્થો તે તે શબ્દરૂપે વિભક્ત બને છે. “ નામ રૂ૫ તરીકે પ્રગટ થયું અને રૂ૫, નામ તરીકે જાહેર થયું. કેટલાકને મતે નામ અને રૂપ પહેલાં એક હતાં. પછી જુદાં થયાં. બીજા કેટલાક માને છે કે તે પહેલેથી જ નામ અને રૂ૫ એમ જુદી અવસ્થાએ રૂપે હતાં.” ભર્તુહરિ પિતાની સ્વોપજ્ઞવૃત્તિ માં આ પ્રકારનાં પ્રાચીન અને આપણે જેનો સંદર્ભ જાણી શક્યા નથી એવાં અવતરણો રજૂ કરીને પિતાના સિદ્ધાંતની ભૂમિકા બાંધે છે. ભર્તુહરિ પહેલાંની શબ્દતત્ત્વજ્ઞાનની ચર્ચા પરંપરાને જાણવા અને સમજવા માટે તે ઉપયોગી છે. ૪. બધે પ્રવર્તમાન એવા શબ્દસમૂહ વાણુનો ઉત્તમ સાર છે, કારણ કે તેનું સાધુત્વ અને અભ્યદય પ્રાપ્ત કરાવવાની તેની શક્તિ નિશ્ચિત છે. સારી રીતે સમજવામાં આવે અને સારી રીતે પ્રયજેલે એક શબ્દ પણ સ્વર્ગલોકમાં ઈચ્છાઓને પૂર્ણ કરે છે, જ્યારે (સાધુત્વ) સંસકાર વિનાનો શબ્દ કેવળ કૂચા (નીષમ) છે. જાતવેદમ્ અગ્નિ, મનુષ્યમાં રહેલ આંતરપ્રકાશ અને સજીવ તેમજ નિર્જીવન પ્રકાશક એવો શબ્દરૂપી પ્રકાશ એમ ત્રણ પ્રકારના તિઓ છે. શબ્દરૂપ પ્રકાશમાં આ સર્વ પ્રાણી માત્ર, જડ અને ચેતન, સ્થાપિત થયેલું છે (ઢોવ, પૃ. ૪૩). ૫ શબ્દબ્રહ્મને જાણવાનો ઉપાય વ્યાકરણ છે જે સામાન્ય નિયમો અને અપવાદ નિયમરૂપી લક્ષણસમૂહથી પ્રાપ્ત કરી શકાય છે. આમાં ઉત્સર્ગોપવાદ, વિધિપ્રતિષેધ, વિધિનિપાતન, વિધ્યતિદેશ, સ્થાન્યાદેશ, લિંગમાં સામાન્ય વિશેષ અને વિધિનિયમ " "" } : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy